પ્રજાસત્તાક દિનથી રાજ્યની દરેક સ્કૂલમાં બંધારણના આમુખનું વાંચન ફરજિયાત
દરેક સ્કૂલમાં બંધારણના આમુખનું વાંચન
પ્રજાસત્તાક દિનથી રાજ્યની તમામ સ્કૂલોમાં પ્રાર્થના પછી બાંધારણના આમુખનું જોરથી વાંચન કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન અને કૉન્ગ્રેસના વિધાનસભ્ય વર્ષા ગાયકવાડે કહ્યું છે કે બાળકો જો બંધારણના એ આમુખનું જોરથી વાંચન કરશે તો તેમને તેના મહત્વની જાણ થશે. મૂળમાં તો એ જૂનો સર્ક્યુલર હતો પણ અમે હવે તેનું અમલીરણ કરશું.
બાળકો ભેગા થાય ત્યારે એ વખતે બંધારણના આમુખનું વાંચન કરાય એ માટેનું ગવર્નમેન્ટ રિઝોલ્યુશન ફેબ્રુઆરી ૨૦૧૩માં જ્યારે રાજ્યમાં યુપીએની સરકાર હતી ત્યારે જ બહાર પડાયું હતું. નવો જીઆર ૨૧ જાન્યુઆરી ૨૦૨૦ના બહાર પડાયો છે. જીઆરમાં જણાવ્યા મુજબ એ આમુખનું વાંચન એ ‘બંધારણના સાર્વભૌમત્વ અને સૌનું કલ્યાણ’ અભિયાન હેઠળ આવરી લેવાયું છે.