Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડી મકાન દુર્ઘટનામાં બે સરકારી અધિકારી સસ્પેન્ડ

ભિવંડી મકાન દુર્ઘટનામાં બે સરકારી અધિકારી સસ્પેન્ડ

23 September, 2020 11:08 AM IST | Mumbai
Mumbai Correspondent

ભિવંડી મકાન દુર્ઘટનામાં બે સરકારી અધિકારી સસ્પેન્ડ

ભિવંડી મકાન દુર્ઘટના

ભિવંડી મકાન દુર્ઘટના


ભિવંડીમાં સોમવારે પરોઢિયે તૂટી પડેલી જિલાની ઇમારત દુર્ઘટનામાં મરણાંક વધીને ૨૫ થયો છે એ જ રીતે ઘાયલોની સંખ્યા પણ ૨૫ પર પહોંચી છે. આ કેસ સંદર્ભે ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકાના કમિશનર ડૉ. પકંજ આશિયાએ પ્રભાગ સમિતિ-૩ના ડેપ્યુટી કમિશનર સુદામ જાધવ અને એન્જિનિયર દુધનાથ યાદવને સસ્પેન્ડ કર્યા છે. એટલું જ નહીં એડિશનલ કમિશનર ઓમપ્રકાશ દિવટેના વડપણ હેઠળ ૪ સદસ્યોની કમિટી બનાવી દુર્ઘટનાની ઝીણવટભરી તપાસ કરવા સમિતિ બનાવી છે.

જિલાની બિલ્ડિંગ તૂટી પડ્યા બાદ આવાં જ બે અન્ય જોખમી મકાનો પણ સોમવારે રાતે સાવચેતીની દૃષ્ટિએ ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકાએ ખાલી કરાવ્યા હતા. સ્થાનિક વૉર્ડ સુપરિન્ટેન્ડેન્ટ લક્ષ્મણ કોકણીએ કહ્યું હતું કે એ બન્ને મકાનો ગ્રાઉન્ડ + ૩ માળના હતા. ૧૩ ભાડૂઆતોના એ મકાનમાં ૨૫-૩૦ જેટલા લોકો રહેતા હતા. એ મકાનો પણ જર્જરિત થઈ જતાં પાલિકાએ તેમને ખાલી કરવા નોટિસ પણ આપી હતી.



જિલાની ઇમારત ગમે ત્યારે તૂટી પડી શકે એમ છે એ તેના રહેવાસીઓઓ જાણતા હતા. મૂળમાં ભોંયતળિયે પહેલાં પાવરલૂમનું ગેરકાયદે કારખાનું હતું. એના સતત ઝટકાના કારણે પહેલેથી જ ઇમારતને નુકસાન થયું હતું. પછી એ કારખાનું બંધ થઈ ગયું હતું. એ પછી એ અવાવરુ જગ્યામાં પાણી ભરાતું હતું જેના કારણે પાયો નમી ગયો હતો. ફેબ્રુઆરી મહિનામાં જ પાલિકા દ્વારા નોટિસ અપાઈ હતી પણ એ પછી કોરોનાની મહામારી શરૂ થતાં લોકો સ્થળાંતર કરી શક્યા નહોતા.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2020 11:08 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK