એમએનએસની મીટિંગમાં બીએમસીના ઇલેક્શનની રણનીતિ ઘડવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણ-ડોમ્બિવલીના મહત્વના નેતાઓએ પક્ષને રામ-રામ કર્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ની ગઈ કાલે મળેલી બેઠકમાં આવતા વર્ષે યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક નવી ટીમ બનાવવામાં આવી છે. એ મુજબ મુંબઈના દરેક લોકસભા મતદાર સંઘ માટે એક સમિતિ બનાવવામાં આવી છે. એમએનએસના નેતા બાળા નાંદગાંવકરે આ મીટિંગમાં લેવાયેલા નિર્ણય બાબતે કહ્યું હતું કે અમારી ટીમ દરેક લોકસભા વિસ્તારમાં જશે અને ૨૫ ફેબ્રુઆરી સુધીમાં પોતાનો રિપોર્ટ રાજસાહેબને આપશે અને એના આધારે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ સિવાય બીજી મહાનગરપાલિકાના ઇલેક્શન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.