પાંચમી નવેમ્બરથી મુંબઈ-સુરત ક્રૂઝ સેવા શરૂ થશે
પ્રતિકાત્મક તસવીર
મુંબઈ-ગોવા ક્રૂઝ સેવાને મળેલા પ્રતિસાદને જોતાં મુંબઈ પોર્ટ ટ્રસ્ટે આગામી પાંચમી નવેમ્બરથી મુંબઈ-સુરત ક્રૂઝ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શરૂમાં અઠવાડિયામાં એક જ વખત ક્રૂઝ સેવા ઉપલબ્ધ હશે જેના માટે પ્રવાસીઓએ ત્રણથી પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....
ADVERTISEMENT
એસએસઆર મરીન સર્વિસ દ્વારા શરૂ કરવામાં આવનારી સુરતની ક્રૂઝ સેવા બાંદરા-સીલિન્કથી સાંજે લગભગ પાંચ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે નવ વાગ્યાના સુમારે સુરતના હજીરા ખાતે પહોંચશે. એ જ દિવસે સાંજે પાંચ વાગ્યે સુરતથી છૂટતી ક્રૂઝ બીજા દિવસે સવારે નવ વાગ્યે મુંબઈ પહોંચશે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટે આપેલી માહિતી અનુસાર વર્ષ ૨૦૧૯માં સ્થાનિક અને વિદેશી મળીને કુલ ૨.૩૨ લાખ પ્રવાસીઓએ ક્રૂઝ સેવાનો લાભ ઉઠાવ્યો હતો.