મુંબઈના રસ્તા પર ૨૨૨૩ ખાડા
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ મંડળે આવા ૨૨૨૩ ખાડા મુંબઈના રસ્તાઓ પર શોધી કાઢ્યા છે અને આ તમામ ખાડાઓ ગણેશ આગમનના મુખ્ય રસ્તાઓ પર હોવાને લીધે સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ટેન્શનમાં આવી ગયાં છે. ગણેશોત્સવ દરમ્યાન રસ્તા ખાડામુક્ત કરવાની ડેડલાઇનમાં ગયા વર્ષે પણ સુધરાઈ નિષ્ફળ ગઈ હતી, છેવટે અનંત ચતુર્દશી સુધીમાં રસ્તાઓને ખાડામુક્ત કર્યા હતા. આ વખતે પણ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. ગણેશોત્સવ નજીક આવી ગયો છે છતાં રસ્તા પર ખાડાઓની સંખ્યામાં કોઈ ઘટાડો નથી થયો.