Mumbai Rains: ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ
કિંગ્સ સર્કલમાં ભરાયેલા પાણી (તસવીર: પ્રદિપ ધિવાર)
શહેરમાં મંગળવારે મોડી સાંજથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે ઠેક-ઠેકાણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ નીચાણવાળા વિસ્તારોમાં પૂરની આગાહી કરી છે અને શહેર અને નજીકના વિસ્તારોમાં વરસાદને કારણે યેલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે સવારે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હોવાથી મુસાફરોને તકલીફ પડી હતી.
ADVERTISEMENT
કિંગ્સ સર્કલમાં ભરાયેલા પાણી (તસવીર: પ્રદિપ ધિવાર)
ભારતીય હવામાન વિભાગના ડૅપ્યુટી ડાયરેક્ટર જનરલ કે એસ હોસાળીકરે આજે સવારે ટ્વીટ કર્યું હતું કે, '23 સપ્ટેમ્બરના રોજ સવારે 5.30 વાગ્યા સુધીમાં કોલાબામાં 122.2 મીમી અને સાંતાક્રુઝમાં 273.6 મીમી વરસાદ નોંધાયો હતો. મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા છે.'
Mumbai rains at 5.30 in Morning, 23 Sept
— K S Hosalikar (@Hosalikar_KS) September 23, 2020
Colaba 122.2mm
Santacruz 273.6mm
Col,Scz cont to recv vry intense spells of rains throughout night.
Radar indicates Mumbai Thane, Palghar, Raigad intense clouds, RF likely to cont.Mumbai, Palghar Thane..hvy rains could be in coming 24 hrs pic.twitter.com/oEcfLld4cy
પાલિકાએ પણ જરૂરી સેવાઓના કર્મચારીઓ સિવાય તમામ માટે આજે રજા જાહેર કરી છે.
Mumbaikars, train services on Central & Harbour lines have been suspended due to water logging following the heavy rainfall yesterday. However, Western Railway is functioning as usual.#MumbaiRains#MyBMCUpdates
— माझी Mumbai, आपली BMC (@mybmc) September 23, 2020
મંગળવારે મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. મધ્ય રેલવેના સ્ટેશનો સાયન, કુર્લા, ચુનાભટ્ટી, મસ્જીદ બંદર વગેરે સ્થળોએ પાણી ભરાતા મધ્ય રેલવેએ અનેક ટ્રેનો રદ્ કરી હતી. મધ્ય રેલવેએ સાયન-કુર્લા, ચુનાભટ્ટી-કુર્લા અને મસ્જીદ વચ્ચે પાણી ભરાવવાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)-થાણે/સીએસએમટી-વાશીની ટ્રેન સેવાઓ રદ્ કરી હતી.