મુંબઈ-પુણે એસી બસમાં ઑનલાઇન બુકિંગ કરાવ્યું હશે તો સીટ કન્ફર્મ થયાનો SMS આવશે
ADVERTISEMENT
એમએસઆરટીસીના મૅનેજિંગ ડિરેક્ટર દીપક કપૂરે કહ્યું હતું કે શિવનેરી એસી વૉલ્વો ઉપરાંત અશ્વમેધ બસોના પૅસેન્જરોને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવશે. એટલું જ નહીં, બસ ઊપડવાના ચાર કલાક પહેલાં તેમને રિમાઇન્ડર પણ મોકલવામાં આવશે. જોકે મુસાફરો માટે ઈ-ટિકિટનું પ્રિન્ટઆઉટ લાવવું ફરજિયાત છે અને SMSને ટિકિટ તરીકે ગણવામાં નહીં આવે. જો ટિકિટ કૅન્સલ કરવામાં આવશે તો એનો પણ SMS આવશે.