Covid-19: મુંબઇ પોલીસે 7000 વાહન જપ્ત કર્યા, લોકોએ માથે માછલાં ધોયા
મુંબઇ પોલીસની તાજી પોસ્ટ અનુસાર અનલૉકિંગના નિયમોનો ભંગ કરનારાઓ સામે આ રીતે પગલાં લેવાઇ રહ્યા છે.
મુંબઇ પોલીસે ગઇકાલે જ જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર કોઇપણ વ્યક્તિ નક્કર કારણ વિના પોતાના રહેઠાણના બે કિલોમિટરથી દૂરના વિસ્તારમાં નહીં જઇ શકે. આ માર્ગદર્શિકા જાહેર કર્યા પછી મુંબઇ પોલીસે લોકોનાં વાહનો જપ્ત કર્યા હતા.અત્યાર સુધીમાં મુંબઇ પોલીસે સાત હજાર વાહનો ઝબ્બે કર્યા છે અને તેવું મુંબઇ પોલીસે ટ્વિટર હેન્ડલ પરથી જાહેર કર્યું છે. મુંબઇ પોલીસની તાજી પોસ્ટ અનુસાર અનલૉકિંગના નિયમોનો ભંગ કરનારાઓ સામે આ રીતે પગલાં લેવાઇ રહ્યા છે.
Over 7000 citizens violated the rules of phase-wise unlocking by taking their vehicles out for non-official/non-medical/non-emergency reasons on 28 June.
— Mumbai Police (@MumbaiPolice) June 28, 2020
We hope that Mumbaikars will join hands with us by respecting the norms & ensure that the city unlocks responsibly. pic.twitter.com/gizULltQ8c
ADVERTISEMENT
મુંબઇ પોલીસે ઝોન -1થી ઝોન-12 સહિત પોર્ટ ઝોન અને ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટે કેટલા વાહનો ઝબ્બે કર્યા છે તેનું ગ્રાફિકલ ચિત્ર આપ્યું છે. પોલીસે આ સાથે લખ્યું કે 28મી નવેમ્બરે સાત હજાર લોકોએ નિયમનો ભંગ કર્યો છે. જાણો મુંબઇ પોલીસે શું ગાઇડલાઇન આપી હતી.
આ પણ વાંચો Covid-19: મુંબઇ પોલીસે આપી નવી ગાઇડલાઇન, ઘરથી બે કિમીનાં અંતરથી બહાર જવાની પાબંદી
પોલીસે લોકોને અરજ કરી છે કે જવાબદારી પૂર્વક ગાઇડલાઇન્સ અનુસરે જેથી કોરોનાવાઇરસને હરાવી શકાય. પોલીસની ટ્વિટર પોસ્ટને છ હજાર લાઇક્સ મળ્યા છે અને અનેક કોમેન્ટ્સ પણ તેની પર કરાઇ છે.
Use common sense. There are rules for our safety. If you won’t follow it there will be rise in numbers. Ones who are not following these rules, deserve a lesson for future. Sometimes it’s good to just follow what’s been told than questioning the authorities.
— Bsharma (@BSahtanii) June 28, 2020
Sheer harassment of citizens. Not everything is in 2kms radius. My regular salon 2.6kms, my grocery shop 3.1 kms, my mechanic for my troubled scooter 3.8kms.
— Viraaj Makwana (@FatMax91) June 28, 2020
This is a very unpopular, unplanned and brutal rule. The public sentiment has gone bad towards police.
Meanwhile Mumbaikars after seeing Mumbai police ki notice and their shops being miles away: pic.twitter.com/V0GalTByUV
— Abhishek (@abhidvs) June 28, 2020
જો કે ઘણાં યૂઝર્સે પોલીસને માથે માછલાં પણ ધોયાં છે કે પાંચ વાગે જાહેરાત કરીને સાડા પાંચ સુધીમાં તેને લાગુ કરવાની અપેક્ષા રાખો તો કેવી રીતે થાય. પોલીસ કર્મીઓની કામગીરીને વખાણાઇ છે એ ખરું પણ સાથે સાથે કેટલાક લોકોએ તેમના નિયમોને અયોગ્ય પણ ગણાવ્યા છે.