મનસેના ચિત્રપટ સેનાના અધ્યક્ષે જિતેન્દ્ર આવ્હાડ પર નિશાન તાક્યું
જિતેન્દ્ર આવ્હાડ
મહાઆઘાડી સરકારની મહત્વાકાંક્ષી શિવભોજન યોજના ગૃહપ્રધાન જિતેન્દ્ર આવ્હાડને કારણે પહેલા જ દિવસે ચર્ચાના ચકડોળે ચડી હતી. સરકારે તેની વચનપૂર્તિ કરીને ગરીબો માટે ૧૦ રૂપિયાની થાળી પ્રજાસત્તાક દિનનું ઔચિત્ય સાધીને શરૂ તો કરી હતી. મનીષાનગર ખાતે નાગરિકો માટે શિવભોજન યોજનાનું ઉદ્ઘાટન જિતેન્દ્ર આવ્હાડને હસ્તે કરવામાં આવ્યું હતું. આવ્હાડ ગરીબોની થાળીનો સ્વાદ માણતા હોવાનો એક ફોટો વાઇરલ થયો હતો, જેના પર મનસેના ચિત્રપટ સેનાના અધ્યક્ષ અમય ખોપકરે આવ્હાડ પર નિશાન તાક્યું હતું.
મનીષાનગર ખાતે નાગરિકો માટે શિવભોજન યોજનાનું ઉદ્ઘાટન જિતેન્દ્ર આવ્હાડને હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન કર્યા બાદ શિવ-થાળીના ભોજનનો સ્વાદ માણતા સમયે આવ્હાડે પાણી પીવા માટે બિસલેરી પાણીની બોટલ સાથે રાખી હતી. તેમનો આ ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર પ્રચંડ પ્રમાણમાં વાઇરલ થયો હતો. મનસેના ચિત્રપટ સેનાના અધ્યક્ષ અમય ખોપકરે આવ્હાડ પર નિશાન તાકતાં ટ્વીટ કર્યું હતું કે -૧૦ રૂપિયાની થાળી સાથે ૨૦ રૂપિયાની બિસલેરી પીનાર ગરીબ માનવી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે 7 માર્ચે અયોધ્યા જશેઃ રામલલાનાં દર્શન કરશે
વિધાનસભા ચૂંટણી પહેલાં ગરીબો માટે ૧૦ રૂપિયામાં ભોજન આપવાનું આશ્વાસન ઉદ્ધવ ઠાકરેએ આપ્યું હતું. સત્તા સ્થપાયા બાદ આ યોજનાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આને કારણે પ્રજાસત્તાક દિનનું ઔચિત્ય સાધીને શિવભોજન યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિવિધ જિલ્લાઓમાં પાલકપ્રધાનના હસ્તે શિવભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરીને આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.