ગુરુવારે પેટ્રોલ-પમ્પોની એક દિવસની હડતાળ
એલાન મુજબ બુધવારે રાત સુધી પેટ્રોલ-પમ્પો ખુલ્લા રહેશે. જોકે થાણે અને નવી મુંબઈ સહિત રાજ્યના અન્ય પ્રાંતોના પેટ્રોલ-ડીલરોએ હડતાળમાં જોડાવા વિશે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. તાજેતરમાં પેટ્રોલનો સ્ટૉક ભેળસેળને કારણે ઇવેપોરેટ થઈ જવાના આરોપસર અંધેરી (ઈસ્ટ)ના એક પેટ્રોલ-ડીલરની કરવામાં આવેલી ધરપકડ સહિત કેટલાક કિસ્સા બાબતે રોષ ભભૂકતાં આ હડતાળનું એલાન આપવામાં આવ્યું હોવાનું ડીલર્સના સંગઠને જણાવ્યું હતું.