મુંબઈઃનાલાસોપારામાં રોકાઈ લોકલ ટ્રેન
તસવીર સૌજન્યઃ વિનોદકુમાર મેનન અને મિડ ડે ફોટો ટીમ
મુંબઈમાં ટ્રેન રોકવામાં આવતા લોકલનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. પુલવામામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં લોકો રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને કારણે લોકલ ટ્રેન્સ પર ખાસ્સી અસર પડી છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે નાલાસોપારા સહિતના સ્ટેશન પર લોકો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા છે, જેને કારણે ટ્રેન અટકાવવાની ફરજ પડી છે. નોકરી ધંધા પર જતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે.
રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. લોકો સ્વયંભૂ વિરોધ પ્રદર્શન કરીને પુલવામામાં થયેલા આતંકી હુમલાને વખોડી રહ્યા છે. બીજી તરફ જીઆરપી, રેલવે પોલીસ લોકોને ટ્રેક ખાલી કરવા માટે સમજાવી રહી છે.