પત્નીની હત્યા કરી ભાગી જનાર 67 વર્ષના વૃદ્ધની થઈ ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
પત્નીની હત્યા કરી ભાગી ગયેલા ૬૭ વર્ષના વૃદ્ધની પોલીસે ધરપકડ કરી હતી. મુંબઈના પવઈ વિસ્તારમાં સુખ-શાંતિ કો-ઑપરેટિવ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના અજિત લાડ નામના સિનિયર સિટિઝને તેની પત્ની શીલાની હત્યા કરી હતી. અજિત લાડ દેવામાં ડૂબી ગયો હોવાથી અને પત્નીની બીમારીથી કંટાળી ગયો હતો. હત્યા કર્યા બાદ અજિતે એક લેટર છોડ્યો હતો જેમાં લખ્યું હતું કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર અજિત લાડે ગયા સોમવારે કોઈ ભારે ઓજારનો ઉપયોગ કરી શીલાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ તે ભાગી ગયો હતો. અજિતે પત્રમાં લખ્યું હતું કે અમારું કોઈ સંતાન નથી, હું મોટા દેવામાં ડૂબી ગયો છું અને પત્નીની બીમારીથી કંટાળી ગયો છું.
ADVERTISEMENT
કસારા પોલીસે બીજા દિવસે અજિત લાડને પકડી પાડ્યો હતો. જોકે તેણે પોતાના હાથની નસ કાપી નાખી હતી એથી થાણે હૉસ્પિટલમાં તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. સારવાર પૂરી થયા પછી પોલીસ અજિતને કસ્ટડીમાં લેશે.