Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાદરના લોકોને રાહત : વાહનો રસ્તા પર પાર્ક કરી શકશે

દાદરના લોકોને રાહત : વાહનો રસ્તા પર પાર્ક કરી શકશે

04 March, 2020 07:30 AM IST | Mumbai

દાદરના લોકોને રાહત : વાહનો રસ્તા પર પાર્ક કરી શકશે

પાર્કિંગ

પાર્કિંગ


પબ્લિક પાર્કિંગ લોટ્સના વિસ્તારોમાં વાહનો પાર્ક કરવા બદલ દંડ વસૂલવા બાબતે સ્થાનિક લોકો તરફથી ટીકાઓનો સામનો કર્યા પછી મુંબઈ મહાનગરપાલિકાએ નવો રસ્તો કાઢ્યો છે. દાદરના લોકોને રાહત થાય એવી જોગવાઈ મહાનગરપાલિકાએ કરી છે. શિવસેના ભવન પાસેના કોહિનૂર ચોકના પબ્લિક પાર્કિંગ લોટની આસપાસના લોકો ટોઇંગનો ડર રાખ્યા વગર રસ્તા પર વાહનો પાર્ક કરી શકશે. આ જોગવાઈ કોહિનૂર પબ્લિક પાર્કિંગ લોટની આસપાસના ૨૮ રસ્તા અને ગલીઓને લાગુ પડશે.

એ વિસ્તારના લોકોને સબસિડાઇઝ્ડ રેટ્સ પર પાર્કિંગ પાસીસ આપવામાં આવશે. સબસિડાઇઝ્ડ પાર્કિંગ રેટ્સ અનુસાર ફોર વ્હીલરના માલિક ૬૦૦૦ રૂપિયા ચૂકવીને છ મહિના અને ૧૨,૦૦૦ રૂપિયા ચૂકવીને બાર મહિના પાર્કિંગ કરી શકશે. ટુ વ્હીલરના માલિકો ૨૬૦૦ રૂપિયા પાર્કિંગ ફી ભરીને છ મહિના અને ૫૨૦૦ રૂપિયા પાર્કિંગ ફી ભરીને આખું વર્ષ પાર્કિંગ કરી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2020 07:30 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK