સંજય રાઠોડનું રાજીનામું મંજૂર
સંજય રાઠોડ
પૂજા ચવાણ કેસમાં સંડોવાયેલા સંજય રાઠોડે પોતાનું રાજીનામું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રવિવારે જ સોંપી દીધું હતું, પણ ત્યાર બાદ તેમના પર કોઈ ઍક્શન લેવાઈ નહોતી. બુધવારે એની જાણ થતાં બીજેપીએ આ બાબતે વિધાનસભામાં ઍક્શન લેવા હોબાળો મચાવતાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં. બુધવારે મુખ્ય પ્રધાને રાજીનામા પર સહી કરીને એને મંજૂરી માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મોકલાવી દીધું હતું. રાજ્યપાલે એ રાજીનામું તરત સ્વીકારી લીધું હતું અને સંજય રાઠોડના ખાતાની જબાદારી હાલમાં સીએમને જ સોંપવાની મંજૂરી આપી હતી.