Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : કુર્લા સબવે ફરી શરૂ થયો

મુંબઈ : કુર્લા સબવે ફરી શરૂ થયો

16 July, 2020 12:09 PM IST | Mumbai
Rajendra B Aklekar

મુંબઈ : કુર્લા સબવે ફરી શરૂ થયો

સબવેની સફાઈ કરતા પાલિકાના કર્મચારીઓ.

સબવેની સફાઈ કરતા પાલિકાના કર્મચારીઓ.


કુર્લા સબવેમાં પાણી ફરી વળતાં સ્થાનિકોને અસુવિધા થઈ રહી હોવા અંગેના ‘મિડ-ડે’ ઇંગ્લિશે પ્રસિદ્ધ કરેલા અહેવાલના એક દિવસ બાદ સબવેમાંથી પાણી દૂર કરવામાં આવ્યું છે, ગંદકી હટાવી દેવાઈ છે અને હવે રહેવાસીઓ પુનઃ એનો ઉપયોગ કરી શકે છે. સબવે પરનો રેલવે બ્રિજ જોખમી જાહેર કરાયા બાદ એ વપરાશમાં લેવાતો ન હોવાથી પૂર્વ-પશ્ચિમ સબવે સ્થાનિક રહેવાસીઓ માટે ક્રૉસિંગનો મુખ્ય માર્ગ છે.

ફરિયાદો મળ્યા પછી બીએમસી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તમામ પાણી પમ્પ વડે બહાર કાઢી લેવાયાં બાદ કચરો સાફ કરવામાં આવ્યો હતો અને ફ્લોર ધોવામાં આવ્યું હતું. હવે નાગરિકો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના સબવેનો ઉપયોગ કરી શકશે, એમ સ્થાનિક ધારાસભ્ય મંગેશ કુડલકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.



અહેવાલના એક દિવસ બાદ બીએમસીના ‘એલ’ વૉર્ડના અધિકારીઓએ વિવિધ વિભાગોના કામદારો સાથે સબવેની મુલાકાત લીધી હતી અને કામગીરી હાથ ધરી હતી. કુર્લા સબવે શહેરના સૌથી લાંબા સબવે પૈકીનો એક છે.


આ સબવેનું ઉદ્ઘાટન શિવસેનાના નેતા તથા મહારાષ્ટ્રના પ્રવાસન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે દ્વારા ઑક્ટોબર ૨૦૧૭માં કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2020 12:09 PM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK