Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: મંદિરમાં લાગેલી આગમાં બે લોકોના મૃત્યુ, એકને ગંભીર ઈજા

Mumbai: મંદિરમાં લાગેલી આગમાં બે લોકોના મૃત્યુ, એકને ગંભીર ઈજા

27 December, 2020 01:22 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai: મંદિરમાં લાગેલી આગમાં બે લોકોના મૃત્યુ, એકને ગંભીર ઈજા

મંદિરમાં લાગી આગ. તસવીર સૌજન્ય - ANI

મંદિરમાં લાગી આગ. તસવીર સૌજન્ય - ANI


મુંબઈમાં શનિવારે રાત્રે એક મંદિરમાં લાગેલી આગમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત ચારકોપ વિસ્તારમાં સ્થિત એક મંદિરમાં થયો હતો, જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં અને એકને ઈજા થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચીને આ અંગે માહિતી આપી છે.




કાંદિવલી ચારકોપ વિસ્તારમાં શ્રી સાઈ સચ્ચિદાનંદ મંદિરમાં શનિવારે મોડી રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે અચાનક આગ લાગી ગઈ. આગ એટલી ભયંકર હતી કે મંદિરની અંદર સૂતા પૂજારીઓને પણ બહાર નીકળવાનો મોકો મળી શક્યો ન હતો. આ આગની ચપેટમાં મંદિરના બે પુજારીઓ આવી ગયા હતા અને ઘટના સ્થળે બન્નેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક પુજારીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઘટના સમયે મંદિરના સ્થાપક યુવરાજ પવાર, સુભાષ ઘોડે અને મોનુ ગુપ્તા ત્રણેય મંદિરમાં સૂઈ રહ્યા હતા. જ્યારે આ લોકોને આગનો ખ્યાલ આવ્યો ત્યારે ત્રણેય ઉભા થયા હતા અને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા પરંતુ મંદિરના તાળુ લાગવાને કારણે ત્રણેય મંદિરની અંદર ફસાઈ ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2020 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK