Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાને કારણે ગુજરાતી પરિવારો ડિજિટલ ગણેશ-વિસર્જનમાં જોડાશે

કોરોનાને કારણે ગુજરાતી પરિવારો ડિજિટલ ગણેશ-વિસર્જનમાં જોડાશે

01 September, 2020 06:54 AM IST | Mumbai
Mumbai correspondent

કોરોનાને કારણે ગુજરાતી પરિવારો ડિજિટલ ગણેશ-વિસર્જનમાં જોડાશે

ગણપતિ વિર્સજન

ગણપતિ વિર્સજન


મુંબઈમાં રહેતા ગુજરાતી પરિવારો આ વર્ષે ડિજિટલ ગણપતિ-વિસર્જનની તૈયારીઓ કરી રહ્યા છે. બેથી ત્રણ પરિવારો દર વર્ષે એક સંબંધીને ત્યાં એકઠા થઈને વિસર્જન કરતા હતા, તેઓ આ વખતે માત્ર ઑનલાઇન ગણપતિબાપ્પાનાં દર્શન કરી સંબંધીના ઘરે જશે નહીં. કોરોનાને કારણે સોશ્યલ ડિસ્ટ‌‌‌‌ન્સિંગ અને ટ્રાન્સપોર્ટન‌ી સુવિધા ઓછી હોવાથી આ પ્રકારનો આઇડિયા શહેરના બોરીવલી અને અંધેરી વિસ્તારમાં રહેતા શાહપરિવારે સૂચવ્યો છે.

શાહપરિવારના મંગેશભાઈએ જણાવ્યું કે ‘હું અને મારાં મમ્મી-પપ્પા કાંદિવલીમાં આવેલા ઠાકુર વિલેજમાં રહીએ છીએ. મારા મુલંડમાં રહેતા કાકાના ઘરે દર વર્ષે ગણપતિ બેસાડાય છે. આ વર્ષે લોકલ ટ્રેન બંધ હોવાથી અમે નક્કી કર્યું છે કે ઑનલાઇન જ વિસર્જનનો લાભ ‌‌‌‌‌લઈશું.’



આવો જ આઇડિયા અંધેરીમાં રહેતા વ્યાસપરિવારે પણ કર્યો છે. તેમનાં સગાંસંબંધીઓને ત્યાં ગણપતિ બેસાડાય છે. તેઓ દહિસરમાં રહે છે. વ્યાસપરિવારનાં સભ્ય માલતી વ્યાસે જણાવ્યું હતું કે ‘અમે મારાં જેઠ-જેઠાણીના ઘરે દર વર્ષે વિસર્જનની પૂજા માટે જઈએ છીએ. ત્યાંથી અક્સા બીચ પર ગણેશ-વિસર્જન માટે જઈએ છીએ. આ વર્ષે અમે વિડિયો-કૉલિંગના માધ્યમથી જ ગણેશદર્શન કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2020 06:54 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK