આવતી કાલે ડબ્બાવાળાઓ રજા પાળશે
કાર્તિકી એકાદસી નિમિત્તે વિઠ્ઠલનાથના ભક્ત ડબાવાળાઓ ઉપવાસ રાખે છે અને દ્વાદસીએ તેઓ પંઢરપુરના આળંદીમાં વિઠોબાનાં દર્શન કરીને ઉપવાસ છોડે છે એથી એ દિવસે મુંબઈમાં ડબા નહીં પહોંચાડી શકાય. મુંબઈ જેવણ ડબે વાહતૂક મંડળના પ્રમુખ સુભાષ તળેકરે ગઈ કાલે કહ્યું હતું કે આ રીતે મંગળવારે ડબાવાળાઓ ઉપવાસ કરશે અને રેગ્યુલર કામ પતાવીને આળંદી જવા નીકળી જશે એથી બુધવારે એક દિવસ પૂરતા ડબાવાળાઓ છુટ્ટી પર હશે એથી મુંબઈમાં ડબા-સર્વિસ બંધ રહેશે.