અભિનેતા વિક્રમ ગોખલે અને અન્ય બે જણ સામે છેતરપિંડીની ફરિયાદ
વિક્રમ ગોખલે
પુણેના મુળશી તાલુકાના પૌડ પોલીસ સ્ટેશનમાં જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે અને અન્ય બે જણ સામે જમીનના વ્યવહારમાં ૧૪ જણની છેતરપિંડીની ફરિયાદ થતાં પોલીસે તેમની સામે ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.
મુખ્ય ફરિયાદી જયંત ભૈરાટે ફરિયાદમાં વિક્રમ ગોખલે, જયંત મ્હાળગી અને સુજાતા મ્હાળગીએ તેમને સુજાતા ફાર્મ્સ પ્રાઇવેટ લિમિટેડના ગિરિવન પ્રોજેક્ટમાં ફસાવ્યાં હોવાનો આરોપ કર્યો હતો. વિક્રમ ગોખલે કંપનીના ચૅરમૅન છે ત્યારે અન્ય બે આરોપી ડિરેક્ટર છે.
ADVERTISEMENT
પૌડના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ધુમાળે કહ્યું હતું કે ફરિયાદીઓનું કહેવું છે કે સેલ્સ ડીડી બનાવ્યા છતાં તેમને હજી સુધી જમીનનો કબજો આપવામાં આવ્યો નથી. આરોપીઓએ એ પ્રોજેક્ટ માટે સરકારની મંજૂરી મળી હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.
આ બાબતે અમે હાલમાં તેમના આક્ષેપોની તપાસ કરી રહ્યા છીએ. એમાં શું બહાર આવે છે એના આધારે આગળની ઍક્શન લેવામાં આવશે.
વિક્રમ ગોખલેએ આ બાબતે કહ્યું હતું કે આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે, મેં કંપનીમાંથી ક્યારનુંય રાજીનામું આપી દીધું છે.