Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અભિનેતા વિક્રમ ગોખલે અને અન્ય બે જણ સામે છેતરપિંડીની ફરિયાદ

અભિનેતા વિક્રમ ગોખલે અને અન્ય બે જણ સામે છેતરપિંડીની ફરિયાદ

20 March, 2020 10:07 AM IST | Pune
Agencies

અભિનેતા વિક્રમ ગોખલે અને અન્ય બે જણ સામે છેતરપિંડીની ફરિયાદ

વિક્રમ ગોખલે

વિક્રમ ગોખલે


પુણેના મુળશી તાલુકાના પૌડ પોલીસ સ્ટેશનમાં જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે અને અન્ય બે જણ સામે જમીનના વ્યવહારમાં ૧૪ જણની છેતરપિંડીની ફરિયાદ થતાં પોલીસે તેમની સામે ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. 

મુખ્ય ફરિયાદી જયંત ભૈરાટે ફરિયાદમાં વિક્રમ ગોખલે, જયંત મ્હાળગી અને સુજાતા મ્હાળગીએ તેમને સુજાતા ફાર્મ્સ પ્રાઇવેટ લિમિટેડના ગિરિવન પ્રોજેક્ટમાં ફસાવ્યાં હોવાનો આરોપ કર્યો હતો. વિક્રમ ગોખલે કંપનીના ચૅરમૅન છે ત્યારે અન્ય બે આરોપી ડિરેક્ટર છે.



પૌડના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ધુમાળે કહ્યું હતું કે ફરિયાદીઓનું કહેવું છે કે સેલ્સ ડીડી બનાવ્યા છતાં તેમને હજી સુધી જમીનનો કબજો આપવામાં આવ્યો નથી. આરોપીઓએ એ પ્રોજેક્ટ માટે સરકારની મંજૂરી મળી હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.
આ બાબતે અમે હાલમાં તેમના આક્ષેપોની તપાસ કરી રહ્યા છીએ. એમાં શું બહાર આવે છે એના આધારે આગળની ઍક્શન લેવામાં આવશે.


વિક્રમ ગોખલેએ આ બાબતે કહ્યું હતું કે આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે, મેં કંપનીમાંથી ક્યારનુંય રાજીનામું આપી દીધું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 10:07 AM IST | Pune | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK