Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પવઈમાં પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલા વૃદ્ધને પોલીસ શોધી રહી છે

પવઈમાં પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલા વૃદ્ધને પોલીસ શોધી રહી છે

12 February, 2020 07:46 AM IST | Mumbai

પવઈમાં પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલા વૃદ્ધને પોલીસ શોધી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પવઈની સુખશાંતિ સોસાયટીમાં રહેતા સિનિયર સિટિઝન અજિત લાડે તેના માથે બહુ જ દેવું થઈ જતા અને સતત બીમાર રહેતી પત્ની શીલાની હત્યા કરી નાસી ગયા છે. હાલ પોલીસ તેની શોધ ચલાવી રહી છે. સોમવારે રાતે ૯-૩૦ વાગ્યે શીલાનો હત્યા કરાયેલો મૃતદેહ તેમના ફ્લૅટમાંથી મળી આવ્યો હતો. અજિતે શીલાના માથા પર કોઈ વસ્તુથી પ્રહાર કર્યો હતો. એ ઉપરાંત તેણે તેના કાંડા પર પણ તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યો હતો. એટલેથી પણ સંતોષ ન થતાં તેણે તેને ગૂંગળાવીને મારી નાખી હતી. એ પછી તે નાસી ગયો હતો. તેણે જતાં પહેલાં પત્નીના મૃતદેહ પાસે ચિઠ્ઠી લખી હતી, જેમાં તેણે કહ્યું હતું હતું કે મારા પર બહુ જ દેવું ચડી ગયું હતું અને પત્ની પણ બહુ બીમાર રહેતી હતી એથી તેને મારી નાખી. હું પણ આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. દંપતીને કોઈ બાળકો નહોતા.

આ પણ વાંચો : મિડ-ડેના ફોટોજર્નલિસ્ટ આશિષ રાજેની મારઝૂડ કરનાર એક પોલીસ જવાન સસ્પેન્ડ



પવઇ પોલીસે એ ચિઠ્ઠીના આધારે હત્યાનો કેસ નોંધી અજિત લાડની શોધ ચાલુ કરી છે, પણ તેની શોધ ચલાવતા તેણે સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ તેનો મૃતદેહ મળી આવ્યો નથી એ જ પ્રમાણે તે જાતે પણ મળી આવ્યો નથી, અમે તેની શોધ ચલાવી રહ્યા છીએ.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2020 07:46 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK