મુંબઈ : કર્જતની જેલનું છાપરું ખોલીને પાંચ રીઢા હત્યારા ભાગી ગયા
પ્રતીકાત્મક તસવીર
હત્યા, હત્યાનો પ્રયાસ અને બળાત્કારના જેમના પર આરોપ છે એવા પાંચ રીઢા ગુનેગારો કર્જતની જેલનું છાપરું ખોલીને ભાગી જવાની ઘટના રવિવારે સાંજે બની હતી. આ ચોંકાવનારી ઘટનાથી જેલની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે.
પોલીસના જણાવ્યા મુજબ ‘રવિવારે સાંજે સાડાસાત વાગ્યે જ્ઞાનદેવ કોલ્હે, અક્ષય રાઉત, મોહન ભોરે, ચંદ્રકાંત રાઉત અને ગંગાધર જગતાપ નામના હત્યા, હત્યાનો પ્રયાસ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાના કેદીઓ કર્જત જેલમાંથી ભાગી ગયા હતા.
કેદીઓ અક્ષય રાઉત, મોહન ભોરે અને ચંદ્રકાંત રાઉત સામે હત્યાનો કેસ, ગંગાધર જગતાપ સામે બળાત્કારનો અને જ્ઞાનદેવ કોલ્હેની પણ આવા જ ગંભીર ગુના બદલ વિવિધ પોલીસે ધરપકડ કરીને તેમને જેલમાં મોકલ્યા હતા.
ADVERTISEMENT
કેદીઓ ભાગી જવાની ઘટનાથી સુરક્ષાનો સવાલ પેદા થતાં સફાળા જાગેલા જેલ-પ્રશાસન અને સ્થાનિક પોલીસે તેમને ફરી તાબે કરવા માટે વિવિધ તપાસ ટીમો બનાવીને રવાનાં કરી છે. આ બનાવથી પોલીસ ગુનેગારોને પકડીને જેલમાં મોકલે છે, પરંતુ તેઓ જેલની અપૂરતી સલામતીનો લાભ લઈને ભાગી જાય છે એટલે સલામતીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.