Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : કોરોનાગ્રસ્ત પેશન્ટ ટ્રેન દ્વારા સોલાપુર જઈ મુંબઈ પાછો ફર્યો

મુંબઈ : કોરોનાગ્રસ્ત પેશન્ટ ટ્રેન દ્વારા સોલાપુર જઈ મુંબઈ પાછો ફર્યો

20 March, 2020 07:59 AM IST | Mumbai
Rajendra B Aklekar

મુંબઈ : કોરોનાગ્રસ્ત પેશન્ટ ટ્રેન દ્વારા સોલાપુર જઈ મુંબઈ પાછો ફર્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાથી ભારત આવેલો કોરોનાવાઇરસના પોઝીટીવ લક્ષણો ધરાવતો એક વ્યક્તિ છ માર્ચે સિદ્ધેશ્વર એક્સપ્રેસ દ્વારા મુંબઈથી સોલાપુર ગયો હતો તથા તે જ- ટ્રેનમાં મુંબઈ પાછો ફર્યો હતો. અમેરિકાથી મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ તે ટેક્સીથી કલ્યાણ જઈ ટ્રેનમાં ચડ્યો હતો. સોલાપુરમાં એક દિવસ રોકાઇ લગ્ન પ્રસંગમાં હાજરી આપી તે ત્રણ અન્ય મિત્રો સાથે મુંબઈ પાછો ફર્યો હતો. રાજ્યના વહીવટી અધિકારીઓ તેને કલ્યાણ સ્ટેશન લઈ જનારા ટેક્સી ડ્રાઇવરની તેમ જ આ વ્યક્તિના સંપર્કમાં આવનારા અન્ય લોકોની શોધ કરી રહ્યાં છે.  મધ્ય રેલવેના પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું કે સૂચિત વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધી તેમને સંપૂર્ણ સહાય કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 07:59 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK