Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: નૅશનલ પાર્ક અને તુંગારેશ્વર અભયારણ્ય સહેલાણીઓ માટે બંધ રહેશે

મુંબઈ: નૅશનલ પાર્ક અને તુંગારેશ્વર અભયારણ્ય સહેલાણીઓ માટે બંધ રહેશે

02 July, 2020 11:10 AM IST | Mumbai
Ranjeet Jadhav | ranjeet.jadhav@mid-day.com

મુંબઈ: નૅશનલ પાર્ક અને તુંગારેશ્વર અભયારણ્ય સહેલાણીઓ માટે બંધ રહેશે

નૅશનલ પાર્ક

નૅશનલ પાર્ક


શહેરમાં કોવિડ-19ના વધતા જતા કેસને ધ્યાનમાં લઈ વન વિભાગના અધિકારો એસજીએનપી અને તુંગારેશ્વર અભયારણ્ય સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવાના પક્ષમાં ન હોઈ પ્રકૃતિ‍પ્રેમીઓએ આ પાર્કની મુલાકાત લેવા લાંબો સમય રાહ જોવી પડી શકે છે.

આ સંબંધે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ઍડિશનલ મુખ્ય વન સંરક્ષક (એપીસીસીએફ) સુનીલ લિમયેએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને જોતાં આ નિર્ણય લેવાયો છે. જોકે પછીથી પરિસ્થિતિમાં સુધાર જણાતાં આ બન્ને પાર્ક સહેલાણીઓ માટે ખુલ્લા મૂકી શકાશે.



વરસાદની મોસમમાં અહીં સહેલાણીઓની ભારે ભીડ રહે છે એવામાં ચોમાસામાં લોકો ઊમટી ન પડે એ ભયે ૧૭ માર્ચે જ અધિકારીઓએ આ બન્ને પાર્ક બંધ કરી દીધા હતા.


જોકે આ કારણે તેમને પ્રવેશ-ટિકિટ અને સફારી પાર્કની ટિકિટના વેચાણ દ્વારા થતી રોજની સરેરાશ 3.5 લાખ રૂપિયાની આવકનું નુકસાન પણ વેઠવું પડ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

એપીસીસીએફ અને મૅન્ગ્રોવ્ઝ સેલના વડા વીરેન્દ્ર તિવારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે થાણેની ખાડીમાં ફ્લૅમિંગો અભયારણ્યમાં ચોમાસામાં બોટરાઇડ બંધ હોવાથી એ સામાન્ય રીતે ચોમાસામાં બંધ રહેતું હોય છે. જોકે અનેક પ્રકૃતિપ્રેમીઓ પક્ષીઓને જોવા ભાંડુપ પમ્પિંગ સ્ટેશન વિસ્તારની મુલાકાત લેતા હોય છે. આથી આ વિસ્તાર પણ જાહેર જનતા માટે બંધ રાખી વિસ્તારમાં પોલીસ-પૅટ્રોલિંગ વધારી દીધું છે.


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2020 11:10 AM IST | Mumbai | Ranjeet Jadhav

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK