Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંબરનાથમાં સવારે 5.30 વાગ્યે ચેઇન-સ્નૅચરો દોઢ તોલાનો હાર ખેંચી ગયા

અંબરનાથમાં સવારે 5.30 વાગ્યે ચેઇન-સ્નૅચરો દોઢ તોલાનો હાર ખેંચી ગયા

25 April, 2019 12:41 PM IST | થાણે

અંબરનાથમાં સવારે 5.30 વાગ્યે ચેઇન-સ્નૅચરો દોઢ તોલાનો હાર ખેંચી ગયા

અંબરનાથમાં સવારે 5.30 વાગ્યે ચેઇન-સ્નૅચરો દોઢ તોલાનો હાર ખેંચી ગયા


 અંબરનાથ (ઈસ્ટ)માં શિવમંદિર રોડ પર શિવબશવ સોસાયટીમાં રહેતાં રમીલા ખુશાલચંદ સંગોઈ સોમવારે સવારના સાડાપાંચ વાગ્યે તેમના દીકરા ચિરાગ જોડે ચેમ્બુરમાં તેમના ફૅમિલી ફંક્શનમાં જઈ રહ્યાં હતાં. તેમના ઘરથી સ્ટેશનનું અંતર સાતેક મિનિટનું હોવાથી પગપાળા જઈ રહ્યાં હતાં. અમે સ્ટેશન પાસે શિવાજી ચોક પર પહોંચ્યાં ત્યારે સામેથી બાઇક પર આવેલા બે યુવાનોએ મારા ગળામાં પહેરેલો દોઢ તોલાનો હાર ખેંચી બાઈક પૂરપાટ વેગે હંકારી ભાગી ગયા હતા.

વધુમાં ચિરાગે જણાવ્યું કે ‘ચેઇન-સ્નૅચરો મારાં મમ્મીના ગળામાંથી ચેઇન ખેંચીને બાઇક હંકારી એટલે તરત જ મેં ચોર-ચોરની બૂમો પાડી અને તેમની પાછળ થોડેક દૂર સુધી પીછો કર્યો હતો, પણ તેઓ બાઇક પૂરપાટ હંકારી પલાયન થઈ ગયા.’



આ પણ વાંચોઃ  પીએમ મોદીનો સૂટ ખરીદનાર ધર્મ નંદન ડાયમંડ સાથે છેતરપિંડી


શિવાજીનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક મનજિત સિંહ બગ્ગાએ જણાવ્યું હતું કે ‘આ ચેઇન-સ્નૅચરનો ગુનો સવારના ભાગમાં નાકાબંધી પૂર્ણ થઈ ત્યારે થયો છે. હવે અમને નાકાબંધીનો સમય વધારવો પડશે. આ ગુના સંદર્ભમાં અમે સીસીટીવી ફુટેજ જોયા. એમાં બાઇકર પૂરપાટ ઝડપે હંકારી રહ્યા હોવાથી તેમનો ચહેરો સ્પક્ટ દેખાઈ રહ્યો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2019 12:41 PM IST | થાણે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK