Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાશિકમાં બસ અન રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત: 20ના મોત

નાશિકમાં બસ અન રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત: 20ના મોત

29 January, 2020 07:54 AM IST | Mumbai

નાશિકમાં બસ અન રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત: 20ના મોત

બસ અન રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત

બસ અન રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત


નાશિકમાં દેવળા ખાતે બસ અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસ અને રિક્ષા નજીકના ખેતરમાં આવેલા કૂવામાં જઈના ખાબક્યા હતાં. આ અકસ્માતમાં 20 જણનાં મોત અને 35 જખમી થયાં હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. સાતથી આઠ જણના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતગ્રસ્ત બસ માલેગાંવથી કળવણ તરફ જઈ રહી હતી. બસ અને રિક્ષાચાલકના નિયંત્રણ ગુમાવાને કારણે આ અકસ્માત થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મેશી પાટા નજીક બસ અને રિક્ષાચાલકે નિયંત્રણ ગુમાવતાં આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બન્ને વાહન કૂવામાં ખાબક્યાં હતા. પહેલા રિક્ષા અને પછી બ, કૂવામાં ખાબકી હોવાનું નજરે જોનારાઓએ કહ્યું હતું. રિક્ષામાં પ્રવાસ કરી રહેલા સાતથી આઠ પ્રવાસી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે બસમાં કુલ 43 પ્રવાસીઓ હોવાની માહિતી મળી હતી. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા પ્રવાસીએન બહાર કાઢવાની શરૂઆત કરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2020 07:54 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK