Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાથી વિદેશનાં આયોજનો રદ થતાં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને 400 કરોડનો ફટકો

કોરોનાથી વિદેશનાં આયોજનો રદ થતાં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને 400 કરોડનો ફટકો

21 March, 2020 10:33 AM IST | Mumbai
Mumbai Correspondent

કોરોનાથી વિદેશનાં આયોજનો રદ થતાં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને 400 કરોડનો ફટકો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશભરમાં ફેલાઈ રહેલા કોરોના વાઇરસના વધતા પ્રભાવનો સૌથી મોટો ફટકો ટૂ‌રિઝમ ઇન્ડસ્ટ્રીને થયો છે. ભારતની બહાર અને દેશ અંતર્ગત અનેક ટૂર્સનાં આયોજન રદ કરવાં પડ્યાં છે. આનાથી ટૂર્સ કંપનીઓને અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે ટૂર્સ કંપનીઓ નુકસાન‍ સામે કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો કાપ મૂકશે.

આખા વિશ્વમાં કોરોના વાઇરસનો પ્રભાવ વધી રહ્યો છે. આ વાઇરસના પ્રભાવના લીધે દેશની બહાર આયોજિત કરવામાં આવેલાં તમામ આયોજનો રદ કરવામાં આવ્યાં છે. આની સીધી અસર ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પર પડી છે. અમુક ટૂર્સ કંપનીઓએ ટૂર રદ કરી દીધી છે તો અમુક ટૂર્સ કંપનીઓએ તારીખને આગળ વધારી દીધી છે. ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હોટેલો, ટ્રાવેલ એજન્ટ, પર્યટન સર્વિસવાળી કંપનીઓ, રેસ્ટોરાં, પારિવારિક મનોરંજન પાર્ક, ઐતિહાસિક સ્થળ, ક્રૂઝ, કૉર્પોરેટ પર્યટન અને સાહસિક પર્યટનને ભારે પ્રમાણમાં અસર થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2020 10:33 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK