કોરોનામાં સારવારને અભાવે રાજ્યમાં ૧૨,૧૭૯ નવજાત બાળકોનાં મૃત્યુ
પ્રતીકાત્મક તસવીર
કોરોનાને લીધે લાગુ કરાયેલા લૉકડાઉનને કારણે સમયસર યોગ્ય સારવાર ન મળતાં મહારાષ્ટ્રમાં ૧૨,૧૭૯ નવજાત બાળકોનાં મૃત્યુ થયાં હોવાનું જણાયું છે. એક બિનસરકારી સંસ્થાએ માગેલી માહિતીના જવાબમાં સરકારે રાજ્યના આંકડા રજૂ કર્યા છે. રાજ્યમાં મુંબઈ, અકોલા, ઔરંગાબાદ, નાશિક, નાગપુર અને પુણે મળીને સૌથી વધુ ૪૪૧૧ નવજાત બાળકોએ દમ તોડ્યો હતો. એકલા મુંબઈમાં જ રાજ્યમાં સૌથી વધારે ૧૦૯૭, અકોલામાં ૭૮૩, ઔરંગાબાદમાં ૭૨૯, નાશિકમાં ૬૬૪, નાગપુરમાં ૫૮૭ અને પુણેમાં ૫૫૧ બાળકોનાં મૃત્યુ થયાં હતાં.