Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai:અંધેરીની રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટનાં સ્ટાફના દસ જણ Covid-19 પૉઝિટીવ

Mumbai:અંધેરીની રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટનાં સ્ટાફના દસ જણ Covid-19 પૉઝિટીવ

05 March, 2021 11:10 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai:અંધેરીની રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટનાં સ્ટાફના દસ જણ Covid-19 પૉઝિટીવ

પ્રતીકાત્મક તસવીર - સતેજ શિંદે

પ્રતીકાત્મક તસવીર - સતેજ શિંદે


ગુરુવારે મુંબઈના એસવી રોડ પર આવેલી રાધાકૃષ્ણા રેસ્ટોરન્ટના 10 સ્ટાફ સભ્યોને Covid-19 પૉઝિટીવ આવતા બે દિવસ માટે રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવી હતી.

એએનઆઈ સાથે વાત કરતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીએ જણાવ્યું હતું કે, "એસવી રોડ પર રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટમાં 35 કર્મચારીઓનો ટેસ્ટ કરાયો જેમાંથી 10 સભ્યોનો રિપોર્ટ પૉઝિટીવ આવતા તેને બે દિવસ માટે બંધ કરી દેવાઇ છે. "



અધિકારીએ ઉમેર્યું, "સેનિટેશન અને નવા સ્ટાફની ગોઠવણ પછી, રેસ્ટોરન્ટને સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે."


જે પણ સ્ટાફરને કોરોનાવાયરસ પૉઝિટીવ આવ્યો છે તે તમામ રેસ્ટોરન્ટ સ્ટાફને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) જમ્બો કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં COVID-19ના એક્ટિવ કેસિઝનો આંકડો 86,359 છે અને 20,49,484નો આંકડો રિકવર્ડ પેશન્ટનો છે અને 52,340 લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે.

દરમિયાન, ભારતમાં 1,08,39,894 ડિસ્ચાર્જ સાથે કુલ 1,76,319 એક્ટિવ કેસ છે અને વાઇરસને કારણે મૃત્યુઆંક 1,57,548 છે.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2021 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK