Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ફિલિપીન્સમાં ફસાયેલા ૨૦૦થી વધુ ગુજરાતીઓ ગુજરાત લવાશેઃ નીતિન પટેલ

ફિલિપીન્સમાં ફસાયેલા ૨૦૦થી વધુ ગુજરાતીઓ ગુજરાત લવાશેઃ નીતિન પટેલ

19 March, 2020 01:00 PM IST | Gandhinagar
Agencies

ફિલિપીન્સમાં ફસાયેલા ૨૦૦થી વધુ ગુજરાતીઓ ગુજરાત લવાશેઃ નીતિન પટેલ

નીતિન પટેલ

નીતિન પટેલ


નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ફિલિપીન્સમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ ગુજરાત લાવવા માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતુ. ફિલિપીન્સમાં બસોથી વધુ ગુજરાતીઓ ફસાયા છે અને કોરોના વાઇરસના હાહાકારને પગલે ફિલિપીન્સ સરકારે વતન પરત જતા લોકોને ૧૯ માર્ચના રાતના ૧૨ વાગ્યા સુધી દેશ છોડી જવાની પરવાનગી આપી છે ત્યાર બાદ ફિલિપીન્સના પાટનગર મનીલાને લૉક ડાઉન કરવામાં આવશે.

કોરોના વાઇરસને કારણે વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મહામારી વચ્ચે ફિલિપીન્સમાં ગુજરાતી અને ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ફસાયા છે. હાલમાં ફિલિપીન્સની રાજધાની મનિલાને લૉકડાઉન કરવામાં આવી છે, જેના કારણે ત્યાં રહીને એમબીબીએસના વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાં એકલા મનિલામાં ગુજરાતી ૨૫થી ૨૬ જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલા છે. ફિલિપીન્સમાં ફસાયેલા ગુજરાતીઓ વિશે નીતિન પટેલે કહ્યું કે ફિલિપીન્સથી વિદ્યાર્થીઓ પરત આવવા માગે છે. અમે સમગ્ર મામલે મુખ્ય સચિવને વિદેશ મંત્રાલય સાથે વાત કરવાનું કહ્યું છે. વિદેશપ્રધાને પણ સ્પેશ્યલ પ્લેન મોકલી તમામને પરત લાવવાની ખાતરી આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 01:00 PM IST | Gandhinagar | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK