Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સેન્ટ્રલ રેલવેમાં ૧૫ ઑક્ટોબરથી ૧૫ ડબ્બાની ટ્રેનસર્વિસ

સેન્ટ્રલ રેલવેમાં ૧૫ ઑક્ટોબરથી ૧૫ ડબ્બાની ટ્રેનસર્વિસ

05 October, 2012 04:58 AM IST |

સેન્ટ્રલ રેલવેમાં ૧૫ ઑક્ટોબરથી ૧૫ ડબ્બાની ટ્રેનસર્વિસ

સેન્ટ્રલ રેલવેમાં ૧૫ ઑક્ટોબરથી ૧૫ ડબ્બાની ટ્રેનસર્વિસ


જ્યારે ૮ સર્વિસ ૧૨ ડબ્બાના સ્થાને ૧૫ ડબ્બાની કરવામાં આવી રહી છે. આ ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે અને બન્ને દિશામાં ભાયખલા, દાદર, કુર્લા, ઘાટકોપર, મુલુંડ, થાણે, ડોમ્બિવલી અને કલ્યાણ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનો શરૂ થવાથી મેઇન લાઇન પર સર્વિસોની સંખ્યા ૭૮૫થી વધીને ૮૦૩ થશે. ફાસ્ટ સર્વિસિસની સંખ્યા પણ ૨૦૬થી વધીને ૨૩૩ થશે. આ સિવાય સેન્ટ્રલ રેલવે થાણેથી અંબરનાથ અને બદલાપુર માટે એક-એક અને કુર્લાથી ટિટવાલા માટે એક સર્વિસ શરૂ કરવાની છે.

૧૨ ડબ્બામાંથી ૧૫ ડબ્બામાં કન્વર્ટ થનારી ૮ ટ્રેનસર્વિસ સીએસટીથી કલ્યાણ સવારે ૮.૨૮ અને બપોરે ૧.૦૦ વાગ્યે, દાદરથી કલ્યાણ સવારે ૧૦.૪૫ અને સાંજે ૫.૨૯ વાગ્યે તેમ જ કલ્યાણથી સીએસટી સવારે ૭.૧૪, બપોરે ૨.૦૯, સાંજે ૪.૨૮ અને ૬.૨૪ વાગ્યે દોડશે.

૧૫ ડબ્બાની ૮ નવીસર્વિસ સીએસટીથી કલ્યાણ માટે સવારે ૬.૦૦, બપોરે ૩.૧૭, રાત્રે ૮.૧૦ અને ૯.૫૪ વાગ્યે; કલ્યાણથી સવારે ૯.૫૦ વાગ્યે; દાદર તેમ જ કલ્યાણથી સીએસટી માટે સવારે ૧૧.૪૮, રાત્રે ૮.૪૬ અને ૧૧.૦૫ વાગ્યે દોડશે.

 સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2012 04:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK