Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રામકથા દરમ્યાન મોરારી બાપુ રહેશે ટાપુ પર

રામકથા દરમ્યાન મોરારી બાપુ રહેશે ટાપુ પર

07 October, 2011 08:41 PM IST |

રામકથા દરમ્યાન મોરારી બાપુ રહેશે ટાપુ પર

રામકથા દરમ્યાન મોરારી બાપુ રહેશે ટાપુ પર


 



 


રશ્મિન શાહ

રાજકોટ, તા. ૭


રામકથા દરમ્યાન મોરારીબાપુનો વિશ્રામ સોમનાથમાં આવેલી ત્રિવેણી નદીના બેટ પર રહેશે અને દરરોજ બોટમાં અવરજવર કરશે

પત્રકારત્વ અને પત્રકારોને સમર્પિત કરવામાં આવેલી આ રામકથાના વરિષ્ઠ આગેવાન દીપક કક્કડે કહ્યું હતું કે ‘કુટિરથી કથા-સ્થળ સુધી બાપુને લાવવા અને પાછા લઈ જવા માટે એક ખાસ બોટની વ્યવસ્થા કરી છે. આ બોટની સુરક્ષા માટે એની આસપાસ બીજી બે બોટ રહેશે. આ ત્રણ બોટ સિવાય અન્ય કોઈ બોટને ત્રિવેણી નદીના આ બેટ પર જવાની મનાઈ કરવામાં આવી છે. બાપુ જે ટાપુ પર રહેવાના છે એ ટાપુની આસપાસ માછીમારોની બોટ રહેશે અને માછીમારો બાપુના ઉતારા એવા ટાપુની સુરક્ષા-વ્યવસ્થાનું ધ્યાન રાખશે.’


બાપુના ઉતારાથી કિનારા વચ્ચેનું અંતર અંદાજે એક નૉટિકલ માઇલ જેટલું છે. મોરારીબાપુ જે જગ્યાએ ઊતરવાના છે એ જગ્યા મોરારીબાપુની માલિકીની જ છે. આ જગ્યાએ મોરારીબાપુએ ઘર અને ગાર્ડન બનાવ્યું છે.
કૈલાસકથા દરમ્યાન નાના ભાઈ જગદીશભાઈ હરિયાણીનું અવસાન થયું હતું. એ પછીની બાપુની આ પહેલી રામકથા છે.

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2011 08:41 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK