Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિજય વડેટ્ટીવારે કરેલા વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ સામે સાધુઓ કરશે શંખનાદ

વિજય વડેટ્ટીવારે કરેલા વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ સામે સાધુઓ કરશે શંખનાદ

15 February, 2021 12:16 PM IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજય વડેટ્ટીવારે કરેલા વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ સામે સાધુઓ કરશે શંખનાદ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યના મદદ અને પુનર્વસનપ્રધાન વિજય વડેટ્ટીવારે વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ કરતાં કહ્યું હતું કે ‘હાલના સાધુઓ માનસિક રોગી છે. એટલું જ નહીં, તેઓ પૈસો અને પ્રૉપર્ટી બનાવવામાં પડ્યા છે.’

તેમના આ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટથી સાધુઓ ભડક્યા છે અને કહ્યું છે કે કેટલાક સાધુઓના ગેરવર્તનને બધા માટે લાગુ ન પાડી શકાય, આ ખોટું થાય છે. એથી હવે સાધુઓ નાશિકના પંચવટીમાં આ બાબતે વિરોધ નોંધાવવા શંખનાદ કરવાના છે. 



તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સવાલ કરતાં કહ્યું હતું કે ‘તમે ૧૫ ડિસેમ્બરે વિધાનસભાને સંબોધતાં કહ્યું હતું કે આ મહારાષ્ટ્ર સાધુ-સંતોનું છે અને અમે હિન્દુત્વ છોડ્યું નથી. આજે જ્યારે તમારા જ પ્રધાનો સાધુ-સંતોને ગાળો ભાંડે છે ત્યારે શું આ તમારા હિન્દુત્વની વ્યાખ્યામાં બંધ બેસે છે?’


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2021 12:16 PM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK