વિજય વડેટ્ટીવારે કરેલા વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ સામે સાધુઓ કરશે શંખનાદ
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના મદદ અને પુનર્વસનપ્રધાન વિજય વડેટ્ટીવારે વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ કરતાં કહ્યું હતું કે ‘હાલના સાધુઓ માનસિક રોગી છે. એટલું જ નહીં, તેઓ પૈસો અને પ્રૉપર્ટી બનાવવામાં પડ્યા છે.’
તેમના આ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટથી સાધુઓ ભડક્યા છે અને કહ્યું છે કે કેટલાક સાધુઓના ગેરવર્તનને બધા માટે લાગુ ન પાડી શકાય, આ ખોટું થાય છે. એથી હવે સાધુઓ નાશિકના પંચવટીમાં આ બાબતે વિરોધ નોંધાવવા શંખનાદ કરવાના છે.
ADVERTISEMENT
તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સવાલ કરતાં કહ્યું હતું કે ‘તમે ૧૫ ડિસેમ્બરે વિધાનસભાને સંબોધતાં કહ્યું હતું કે આ મહારાષ્ટ્ર સાધુ-સંતોનું છે અને અમે હિન્દુત્વ છોડ્યું નથી. આજે જ્યારે તમારા જ પ્રધાનો સાધુ-સંતોને ગાળો ભાંડે છે ત્યારે શું આ તમારા હિન્દુત્વની વ્યાખ્યામાં બંધ બેસે છે?’