Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીની ઇચ્છા સાત દિવસમાં ચાર ઉપવાસની

નરેન્દ્ર મોદીની ઇચ્છા સાત દિવસમાં ચાર ઉપવાસની

01 November, 2011 03:08 PM IST |

નરેન્દ્ર મોદીની ઇચ્છા સાત દિવસમાં ચાર ઉપવાસની

 નરેન્દ્ર મોદીની ઇચ્છા સાત દિવસમાં ચાર ઉપવાસની


 

આ નવા કાર્યક્રમ મુજબ ૧૪ નવેમ્બરે પાટણમાં, ૧૭મીએ માણસામાં, ૧૮મીએ બોડેલી અને ૨૦મીએ પોરબંદરમાં સદ્ભાવના ઉપવાસ કરવા. આ ચાર દિવસોની વચ્ચેના દિવસોમાં મુખ્ય પ્રધાન રાબેતા મુજબ કામ પણ ચાલુ રાખવાના છે. સાત જ દિવસમાં મુખ્ય પ્રધાને ચાર દિવસ ઉપવાસની તૈયારી કરી એટલે ગુજરાત બીજેપીએ નક્કી કર્યું છે કે જો ડૉક્ટરની પરમિશન હશે તો જ આ ઉપવાસ કરવા દેવામાં આવશે. ગુજરાત બીજેપીના સિનિયર નેતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે આજે સાંજે ડૉક્ટરનો રિપોર્ટ આવશે એ પછી મીટિંગ કરીને કયા-કયા દિવસે ઉપવાસ કરવા એ નક્કી કરવામાં આવશે.

શરૂઆતમાં એક જ પણ પછી ત્રણ નવા જિલ્લામાં ઉપવાસ કરવાનું નક્કી કરવા માટે એવું માનવામાં આવે છે કે મુખ્ય પ્રધાન કોઈ પણ ભોગે એપ્રિલ-મે મહિના પહેલાં ગુજરાતમાં પોતે કરવાના છે એ ૩૬ સદ્ભાવના ઉપવાસ પૂરા કરવા માગે છે અને એના માટે તેમણે દર મહિને ઓછામાં-ઓછા છ ઉપવાસ કરવા પડે.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2011 03:08 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK