Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોદીએ ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી દીધું : મુકેશ અંબાણી

મોદીએ ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી દીધું : મુકેશ અંબાણી

29 September, 2011 07:29 PM IST |

મોદીએ ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી દીધું : મુકેશ અંબાણી

મોદીએ ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી દીધું : મુકેશ અંબાણી


 

 



દેશના ટોચના ઉદ્યોગપતિએ ગુજરાતના મુખ્ય પ્રધાનને ભારતના શ્રેષ્ઠ નેતા ગણાવ્યા


પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘તમે ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી ભારત અને ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. વિશ્વ ગુજરાતના મૉડલ અને એના સચોટ અમલીકરણની નોંધ લઈ રહ્યું છે. ગુજરાત ભાગ્યશાળી છે કે એને તમારા જેવા પ્રેરણાદાયક નેતા મYયા. આ બદલ હું આપનો આભાર માનું છું.’

મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું હતું કે ‘ગુજરાતે ઊર્જાક્ષેત્રે વધુ ઇનોવેટિવ પગલાં લેવાની જરૂર છે. અત્યારે ઊર્જાક્ષેત્રમાં ભારત જ્યાં છે એના કરતાં છગણો વધુ વિકાસ ૨૦૩૦ સુધીમાં કરવાની જરૂર છે. જો બિનફળદ્રુપ જમીન ધરાવતું જામનગર રિફાઇનિંગ કૅપિંટલ બની શકતું હોય અને સાણંદ જેવું ગામ એશિયાનું ઑટોમોબાઇલ હબ બની શકતું હોય તો કંઈ અશક્ય નથી.’

દીક્ષાંત સમારોહમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ આપણે રોબોનું વિશ્વ જોવા માગતા નથી, પરંતુ સારા માનવસંસાધનનું વિશ્વ ઇચ્છીએ છીએ. પ્રયોગશીલતા અને જોખમ ખેડવાની ક્ષમતા એ જ સફળતાનો માર્ગ છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2011 07:29 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK