આકૃતિ સિટી ગોટાળા મામલે ઝૂંપડાવાસીઓનાં એલિજિબિલિટી ડૉક્યુમેન્ટ્સ શોધવા દોડધામ
આ ડૉક્યુમેન્ટ્સના આધાર પર જ આકૃતિમાં ઝંૂપડાવાસીઓને ફ્લૅટ ફાળવવાનો હતો, પરંતુ ૧૯૯૯ બાદ આ ડૉક્યુમેન્ટ્સ ગુમ હતાં. એમઆઇડીસીને પણ ડૉક્યુમેન્ટ્સ ક્યાં છે એની ખબર નહોતી. જોકે મંત્રાલયના અધિકારીઓએ આઠથી દસ દિવસમાં આ ડૉક્યુમેન્ટ્સ માગતાં અંધેરીની એમઆઇડીસી ઑફિસમાં દોડધામ મચી ગઈ છે. નાના-મોટા તમામ અધિકારીઓને એક રર્પિોટ તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે જેમાં ક્યારથી, ક્યાંથી અને કોનાથી આ ડૉક્યુમેન્ટ્સ ગુમ થયાં એ જણાવવાનું છે. મંત્રાલયના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે આકૃતિ સિટીના પૂરા પ્રોજેક્ટમાં કયા-કયા ગોટાળા થયા છે એ શોધી કાઢીને દોષી લોકોને દંડ કરવામાં આવશે.