Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આકૃતિ સિટીના ગોટાળાથી હાઉસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ રોષ

આકૃતિ સિટીના ગોટાળાથી હાઉસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ રોષ

08 November, 2011 08:21 PM IST |

આકૃતિ સિટીના ગોટાળાથી હાઉસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ રોષ

આકૃતિ સિટીના ગોટાળાથી હાઉસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ રોષ




(વરુણ સિંહ)





મુંબઈ, તા. ૮

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે એમસીએચઆઇના પ્રેસિડેન્ટ ઇલેક્ટ (પ્રમુખ તરીકે ચૂંટાયેલા પણ સત્તાવાર રીતે અખત્યાર નહીં લેનારા) અને આકૃતિ સિટીના વિમલ શાહને એ હોદ્દા પર બેસાડવા વિશે ફેરવિચારણા કરવી જોઈએ.



ફેડરેશન ઑફ અકૉમોડેશન ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયાના સ્થાપક અને પ્રમુખ કે. વી. સત્યમૂર્તિએ એમસીએચઆઇના પ્રમુખ પારસ ગુંડેચાને ઈ-મેઇલ દ્વારા મોકલેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘‘મિડ-ડે’એ કરેલી અમુક ઇન્વેસ્ટિગેશન સ્ટોરીઓમાં એમસીએચઆઇના પ્રેસિડેન્ટ ઇલેક્ટ વિમલ શાહ પર ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ પ્રકારના સમાચાર ઇન્ડસ્ટ્રી માટે સારા નથી.’

અમે કેટલાક સભ્યોએ પ્રમુખને મળીને આ વિશે ચર્ચા કરવા માટે એક બેઠક યોજવાની વિનંતી કરવાનું નક્કી કર્યું છે એમ જણાવીને એક બિલ્ડરે કહ્યું હતું કે જો અમે પોતે જ જેને અનુસરતા ન હોઈએ એવી આચારસંહિતાનો મતલબ શો છે?

આ બધા આક્ષેપો છે, પુરવાર થયેલી હકીકત નથી એમ જણાવીને એમસીએચઆઇના પ્રમુખ પારસ ગુંડેચાએ કહ્યું હતું કે ‘અણ્ણા હઝારે અને સોનિયા ગાંધી સામે પણ આક્ષેપો થયા છે. એનો અર્થ એ નથી કે તેમણે હોદ્દા છોડી દેવા જોઈએ. આ એક અંગત મામલો છે. બિલ્ડરને ખુલાસો કરવાનું અમે કઈ રીતે કહી શકીએ? ગ્રાહકોને કોઈ બિલ્ડર સામે તકલીફ હોય તો એ પ્રશ્નો અમે હાથ ધરતા હોઈએ છીએ.’ Whatsapp-channel Whatsapp-channel

08 November, 2011 08:21 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK