Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રો રેલવેના વિલંબને કારણે લોકોની એસી બસની ડિમાન્ડ

મેટ્રો રેલવેના વિલંબને કારણે લોકોની એસી બસની ડિમાન્ડ

14 December, 2012 07:30 AM IST |

મેટ્રો રેલવેના વિલંબને કારણે લોકોની એસી બસની ડિમાન્ડ

મેટ્રો રેલવેના વિલંબને કારણે લોકોની એસી બસની ડિમાન્ડ




ઘાટકોપરના રહેવાસી પ્રમોદ મેનને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રૂટ નીમવામાં આવેલા રિપ્રેઝન્ટેટિવ દ્વારા સ્થળ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. બેસ્ટનું કહેવું છે કે એસી બસના રૂટને હંમેશાં નુકસાન જ થાય છે. કોલાબાથી સીએસટી સુધી એસી બસને ઑપરેટ કરવાની જરૂર નથી, કારણ કે લોકો આ રૂટ માટે ટ્રેનને વધારે પ્રાધાન્ય આપે છે.’





તેમણે ઉમેર્યું હતું કે ‘એસી બસોને અંધેરીથી ઘાટકોપર, બોરીવલી, મલાડ સુધી ઑપરેટ કરવાની જરૂર છે જે ખૂબ જ વ્યસ્ત રૂટ છે. મોટા ભાગના પ્રવાસીઓ આ જગ્યાઓ પર રિક્ષામાં જાય છે. તેઓ રિક્ષા-ડ્રાઇવરોની હેરાનગતિથી દૂર થવા માસિક રીતે બસના પૈસા ભરવા પણ તૈયાર છે અને આ બાબતે બધા સત્તાધીશોએ આમાં સહકાર આપવો જોઈએ.’

પ્રવાસી રજની વાઘેલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેટ્રોના બાંધકામમાં વિલંબ થવાને કારણે સામાન્ય માણસને ઘણી તકલીફો સહન કરવી પડે છે.’



બેસ્ટના અસિસ્ટન્ટ મનોજ વરાડેએ મિડ-ડે LOCALન કહ્યું હતું કે હું આ માગણીઓ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં મોકલીશ જે આવી પરિસ્થિતિઓ સંભાળે છે અને એ રીતે નર્ણિય લેવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2012 07:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK