આઠ મહિનાના બાળકનો સારવાર માટે 400 કિમીનો પ્રવાસ,કોરોના સંક્રમિત થતા મોત
પ્રતીકાત્મક તસવીર
સારવાર માટે અરૂણાચલ પ્રદેશથી મેઘાલય સુધી લગભગ 400 કિમીનો પ્રવાસ કરનાર બાળકને કોરોના વાયરસનું સંક્રમણ થયું હોવાની પુષ્ટિ થયાના થોડાક જ કલાકોમાં તેનું મૃત્યુ થયુ હતું.
અરૂણાચલ પ્રદેશમાં રહેતા બાળકને કેટલીક બીમારીઓની સારવાર માટે તોમો રિબા ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સમાંથી મેઘાલયમાં નોર્થ ઈસ્ટર્ન ઈન્દિરા ગાંધી રીજનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્માં લાવવામાં આવ્યો હતો. બાળકના માતા-પિતા તેને રોડ માર્ગે શિલોંગ લઈ આવ્યા હતા. સોમવારે તેઓ હૉસ્પિટલ પહોંચી ગયા હતા. મેઘાલયના સ્વાસ્થય પ્રધાન એ એલ હેકે કહ્યું હતું કે, બાળક જેવું હૉસ્પિટલમાં આવ્યું કે સારવાર માટે તેના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. સાથે જ સ્વેબ નમૂના પણ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમા ખબર પડી કે તે કોરોના વાયરસ સંક્રમિત છે અને સાંજે તેનુ મૃત્યુ થયું હતું. પરંતુ બાળકના માતા-પિતા અને તેમની ગાડી ચલાવતો ડ્રાઈવર કોરોના સંક્રમિત નથી.
ADVERTISEMENT
કોરોના વાયરસને લીધે મેઘાલયમાં આ બીજુ મોત થયું છે. પ્રથમ મોત 15 એપ્રિલે થયુ હતું. રાજ્યમાં અત્યાર સુધી 89 લોકો કોરોના સંક્રમિત છે, જેમાંથી 44 લોકોની સારવાર ચાલી રહી છે અને 43 લોકો સારવાર બાદ સાજા થયા છે.