Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આઠ મહિનાના બાળકનો સારવાર માટે 400 કિમીનો પ્રવાસ,કોરોના સંક્રમિત થતા મોત

આઠ મહિનાના બાળકનો સારવાર માટે 400 કિમીનો પ્રવાસ,કોરોના સંક્રમિત થતા મોત

07 July, 2020 07:03 PM IST | Shillong
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આઠ મહિનાના બાળકનો સારવાર માટે 400 કિમીનો પ્રવાસ,કોરોના સંક્રમિત થતા મોત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સારવાર માટે અરૂણાચલ પ્રદેશથી મેઘાલય સુધી લગભગ 400 કિમીનો પ્રવાસ કરનાર બાળકને કોરોના વાયરસનું સંક્રમણ થયું હોવાની પુષ્ટિ થયાના થોડાક જ કલાકોમાં તેનું મૃત્યુ થયુ હતું.

અરૂણાચલ પ્રદેશમાં રહેતા બાળકને કેટલીક બીમારીઓની સારવાર માટે તોમો રિબા ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સમાંથી મેઘાલયમાં નોર્થ ઈસ્ટર્ન ઈન્દિરા ગાંધી રીજનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્માં લાવવામાં આવ્યો હતો. બાળકના માતા-પિતા તેને રોડ માર્ગે શિલોંગ લઈ આવ્યા હતા. સોમવારે તેઓ હૉસ્પિટલ પહોંચી ગયા હતા. મેઘાલયના સ્વાસ્થય પ્રધાન એ એલ હેકે કહ્યું હતું કે, બાળક જેવું હૉસ્પિટલમાં આવ્યું કે સારવાર માટે તેના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. સાથે જ સ્વેબ નમૂના પણ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમા ખબર પડી કે તે કોરોના વાયરસ સંક્રમિત છે અને સાંજે તેનુ મૃત્યુ થયું હતું. પરંતુ બાળકના માતા-પિતા અને તેમની ગાડી ચલાવતો ડ્રાઈવર કોરોના સંક્રમિત નથી.



કોરોના વાયરસને લીધે મેઘાલયમાં આ બીજુ મોત થયું છે. પ્રથમ મોત 15 એપ્રિલે થયુ હતું. રાજ્યમાં અત્યાર સુધી 89 લોકો કોરોના સંક્રમિત છે, જેમાંથી 44 લોકોની સારવાર ચાલી રહી છે અને 43 લોકો સારવાર બાદ સાજા થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 07:03 PM IST | Shillong | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK