એફડીઆઇ પર વોટિંગને મુદ્દે માયાવતીનું સસ્પેન્સ
માયાવતીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટી એફડીઆઇને સર્પોટ આપશે કે નહીં ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે પણ ગૃહના ફ્લોર પર વોટિંગનો સમય આવશે ત્યારે પાર્ટી પોતાનું વલણ સ્પષ્ટ કરશે. અગાઉ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે પણ લોકસભામાં એફડીઆઇના સર્પોટને મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ગઈ કાલે માયાવતીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે જ્યારે એફડીઆઇને મુદ્દે ચર્ચા થશે ત્યારે અમે આ વિશે નિર્ણય લઈશું. આ તરફ સરકારે એફડીઆઇ પરના વોટિંગમાં બહુમત પુરવાર કરી બતાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ