Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માથેરાન ફરવા જનારાઓ માટે Good News

માથેરાન ફરવા જનારાઓ માટે Good News

02 June, 2017 07:01 AM IST |

માથેરાન ફરવા જનારાઓ માટે Good News

માથેરાન ફરવા જનારાઓ માટે Good News


અમન લૉજથી માથેરાન સુધીની આ ટૉય-ટ્રેન સર્વિસ સેન્ટ્રલ રેલવે ૧૮ જૂનથી ફરી શરૂ કરશે. આવતા અઠવાડિયામાં ટ્રેનની ૩ કિલોમીટર લાંબા સ્ટ્રેચમાં ટ્રાયલ શરૂ થશે.

ટૉય-ટ્રેનની દરરોજની છ સર્વિસ દોડશે.




ગઈ કાલે વહેલી સવારે નેરળ સ્ટેશન પર સેન્ટ્રલ રેલવેના અધિકારીઓ ટ્રેનના કોચ તેમ જ એન્જિનને જોડીને ટ્રાયલ માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અમુક પર્યટકો ટ્રેનને જોઈને ટ્રેન-સર્વિસ ચાલુ છે એમ સમજી સ્ટેશન પર ભેગા થઈ ગયા હતા અને અમુક એમાં બેસી પણ ગયા હતા, પરંતુ થોડી વારમાં જ ટ્રેન ચાલુ નથી એવું જણાતાં પર્યટકો નિરાશ થયા હતા.

ટૉય-ટ્રેનમાં બેસવા પરિવાર સાથે ભરૂચથી માથેરાન ફરવા માટે આવેલા કે. દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ટ્રેન ચાલુ નથી એ જાણીને અમે નિરાશ થઈ ગયા હતા અને ફક્ત ટ્રેનમાં બેસી ફોટોગ્રાફ્સ પાડી માથેરાન રોડથી નીકળી ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2017 07:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK