Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેરળના મુન્નારમાં સતત ત્રીજા દિવસના વરસાદ પછી ભૂસ્ખલન, 5ના મોત

કેરળના મુન્નારમાં સતત ત્રીજા દિવસના વરસાદ પછી ભૂસ્ખલન, 5ના મોત

07 August, 2020 03:49 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

કેરળના મુન્નારમાં સતત ત્રીજા દિવસના વરસાદ પછી ભૂસ્ખલન, 5ના મોત

કેરળમાં વરસાદને કારણે ભૂસ્ખલન

કેરળમાં વરસાદને કારણે ભૂસ્ખલન


કેરળના મુન્નારમાં મોટું ભેખડ ધસી છે, જેમાં ચાયના બગીચામાં કામ કરતાં કેટલાય મજૂરો ફસાયા છે. અત્યાર સુધી 5ના મોતના સમાચાર મળ્યા છે. વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક અધિકારીઓ પ્રમાણે, દુર્ઘટના ઇડુક્કી જિલ્લામાં શુક્રવારે થઈ. આ વિસ્તાર સંપૂર્ણ રીતે કપાયેલો હોવાથી રાહત અને બચાવ કાર્યમાં પણ મુશ્કેલી થઈ રહી છે.

બચાવ દળને પહોંચવામાં પણ ઘણી મુશ્કેલી થઈ. ખૂબ જ વધારે વરસાદ પડવાને કારણે પૂર જેવી સ્થિતિ છે અને કેટલાક રસ્તા તો તણાઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. કેરળના રાજસ્વ મંત્રી ઇ ચંદ્રશેખરને જણાવ્યું કે, "સ્થિતિ ખરેખર ગંભીર છે."




ન્યૂઝ એજન્સી એએનઆઇ પ્રમાણે ઇડુક્કીના રાજમાલામાં 5ના મોત થયા છે તો 10 લોકોને અત્યાર સુધી કાટમાળમાંથી કાઢી શકાયા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પી વિજયને જણાવ્યું કે ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ, ફૉરેસ્ટ અને રેવેન્યૂ અધિકારીઓને પણ બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.


રાજ્યના અન્ય ભાગમાં પણ વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. વાયનાડમાં પણ ઘણાં ઘરને વરસાદને કારણે નુકસાન વેઠવું પડ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2020 03:49 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK