રાજકોટ : મારવાડી યુનિ.માં 3000 વિર્ધાર્થીઓએ મતદાન જાગૃતીના શપથ લીધા
મારવાડી યુનિવર્સિટી (PC : File Photo)
રાજકોટમાં આવેલ મારવાડી યુનિવર્સિટીમાં NSS ના વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસ માટે મતદાર જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મારવાડી યુનિવર્સિટીના NSS વિભાગના સ્વયંસેવકો તથા મતદાર સાક્ષરતા કલબના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસના બસ ડ્રાઇવરથી લઇને પ્રોફેસરો સુધીના તમામ સ્ટાફને આવનારા લોકશાહીના પર્વ સમાન યોજાનારી અકિલા લોકસભાની ચૂંટણીમાં દરેક લોકોને અને તેમના પરીવારજનોને મતદાન અવશ્ય કરવા શપથ લેવડાવ્યા હતા. આ અભિયાન માત્ર કોલેજ પૂરતું સીમિત ન રાખતા NSSના સ્વયંસેવોએ ફેકલ્ટી સભ્યોના માર્ગદર્શન હેઠળ મતદાન પર સૂત્રો અને પોસ્ટરો બનાવીને નાગરિકો સાથે વાતચીતકરીને તેમને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું
આ પણ જુઓ : રાજકોટઃ મતદાન જાગૃતિ માટે શાળાના વિદ્યાર્થીઓની અનોખી પહેલ, રચી માનવસાંકળ
મતદાન જાગૃતિના સુત્રોચાર કરી રસ્તાઓ ફર્યા
મળતી માહિતી મુજબ 'મતદાન મારો અધિકાર, મતદાન શ્રેષ્ઠ દાન' જેવા સૂત્રો બોલીને મુખ્ય માર્ગો પર ફર્યા હતા. મતદાર જાગૃતિ અભિયાનને સફળ બનાવવા માટે મારવાડી યુનિવર્સિટીના ડીન ડો.આર.બી.જાડેજા, ડો.રામદેવસિંહ ઝાલા, ડો.આર.શ્રીધરન તથા વાઇસ પ્રેસિડેન્ટ નિલેશ ગોટેચાના માર્ગદર્શન હેઠળ NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર પ્રો.ચાર્મિન જારસાણીયા મતદાર સાક્ષરતા કલબના પ્રો.શ્રેયા બેનર્જી તથા NSS વિભાગના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવા બદલ જિતેન્દ્ર ચંદારાણા, વાઇસ ચેરમેન, ડો.વાય.પી.કોસ્તા, પ્રોવેસ્ટ, નરેશ જાડેજા, રજીસ્ટ્રાર, તમામ ફેકલ્ટી ડીન્સ અને મારવાડી એજયુકેશન ફાઉન્ડેશનના શિક્ષકોએ તમામ MEFGI-NSS નાં સ્વયંસેવકોને અભિનંદન આપ્યા હતા.