Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મિશન પાકિસ્તાન:મિયાં ઇમરાનને કોણ સમજાવે કે ઔકાતથી વધુ બોલવું પાપ કહેવાય

મિશન પાકિસ્તાન:મિયાં ઇમરાનને કોણ સમજાવે કે ઔકાતથી વધુ બોલવું પાપ કહેવાય

21 February, 2019 11:51 AM IST |
મનોજ નવનીત જોષી

મિશન પાકિસ્તાન:મિયાં ઇમરાનને કોણ સમજાવે કે ઔકાતથી વધુ બોલવું પાપ કહેવાય

ઈમરાન ખાન (ફાઈલ ફોટો)

ઈમરાન ખાન (ફાઈલ ફોટો)


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ઇમરાન ખાનનો ઑફિશ્યલ વિડિયો આવી ગયો અને આ વિડિયો માટે પુષ્કળ ટીકા પણ થઈ ગઈ. એક ન્યુઝચૅનલે તો આ વિડિયો રેકૉર્ડિંગ સમયે ISI ત્યાં હાજર હતું એ પણ પુરવાર કરી દીધું. જોકે આપણે એ બધા વિશે વાત નથી કરવી. આપણે વાત કરવી છે ઇમરાન ખાનના સ્ટેટમેન્ટની અને એ સ્ટેટમેન્ટમાં તેણે કહેલા એક વાક્યની. યે જો મૈં કહ રહા હૂં વો ભારત કી ગવર્નમેન્ટ કે લિએ કહ રહા હૂં. આ એક વાક્ય જ દેખાડે છે કે ભારત સરકારે પાકિસ્તાન પર કયા સ્તર પર દબાણ ઊભું કરી દીધું હશે કે એક દેશના વડા પ્રધાને આ પ્રકારનો વિડિયો જાહેર કરીને એના દ્વારા તમારા દેશ સાથે વાતચીત કરવી પડે. યાદ રાખજો, આ ઘૂંટણિયે આવી ગયાની જ નિશાની છે. ઇમરાન ખાન અને તેના પાકિસ્તાનને સમજાઈ ગયું છે કે ભારત હવે નિરાંતે બેસી રહે એવું બનવાનું નથી અને બની પણ શકે નહીં. આજે પણ દેશમાં એવું જ વાતાવરણ છે કે જાણે પુલવામા ઘટના થોડા કલાકો પહેલાં બની હોય.



પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ હવે એટલી જ તીવ્રતાથી લેવામાં આવે છે જેટલી ઉત્કંઠા સાથે ‘વન્દે માતરમ્’ બોલવામાં આવે છે. પ્રેમની ચરમસીમા જે છે એ જ તીવ્રતા આપણી નફરતમાં પણ ઝળકી રહી છે અને એની જ જરૂર હતી. આપણે દર વખતે ખોટી દિશામાં ચાલવાનું શરૂ કરી દેતા અને સહાનુભૂતિ સાથે કામ કરવાની માનસિકતા બનાવી લેતા હતા, પણ આ વખતે કોઈનામાં એ સહાનુભૂતિ જાગી નથી રહી જે દર્શાવે છે કે નફરતની માત્રા હવે વધી રહી છે. સોશ્યલ મીડિયા પર અને વૉટ્સએપ પર એકધારો પાકિસ્તાન અને આતંકવાદવિરોધી પ્રચાર ચાલી રહ્યો છે. આ સમય એકસાથે ઊભા રહેવાનો છે અને એ કામ સૌથી પહેલાં રાજકીય પક્ષોએ કરવાનું હતું. જોકે આ વખતે એ કામ પ્રજાએ કર્યું. જેને તેમણે પસંદ કરી છે એ સરકારની બાજુમાં ઊભા રહેવામાં ભારતની પ્રજાએ જરાય પાછું વાળીને નથી જોયું. પૂરા વિશ્વાસ સાથે, પૂરી શ્રદ્ધા સાથે સરકારનું પીઠબળ બનીને પ્રજા ઊભી રહી. આ જે નીતિ છે એની પાછળ ક્યાંય કોઈ એક પક્ષ માટેનો પ્રેમ નથી કે ક્યાંય નરેન્દ્ર મોદી માટેની ભક્તિ નથી. આ રાષ્ટ્રપ્રેમની વાત છે અને કોઈના પર પૂરો વિશ્વાસ મૂકવો એ પણ પ્રેમની જ એક નિશાની છે.


વાત કરીએ ફરી ઇમરાન ખાનની.

આ પણ વાંચો : મિશન પાકિસ્તાન : ખુદ પાકિસ્તાનને પરસેવો છૂટવા માંડ્યો છે કે હિન્દુસ્તાન હવે મૂકશે નહીં


ઇમરાન ખાનને એ વિડિયોમાં ISIના શબ્દો વાપર્યા છે. કહ્યું છે કે યુદ્ધ શરૂ કોણ કરશે એટલું જ નહીં, એ પણ વિચારવું પડશે કે યુદ્ધ કોણ પૂરું કરશે? ગંદી ગાળનો પ્રયોગ કરવાનું મન થાય એવું આ સ્ટેટમેન્ટ છે અને આ સ્ટેટમેન્ટ ઔકાત બહારનું છે. મિયાં ઇમરાનને કોણ સમજાવશે કે ઔકાત બહારનું બોલવું, ઔકાત વિનાનું વર્તવું એ પણ હિન્દુ શાસ્ત્રો મુજબ પાપ છે. આ પાપ હવે તેણે કરી લીધું છે એટલે ભોગવવાની તૈયારી તો રાખવી જ પડશે. અમને જોવું છે, અમને ભારતીયોને જોવું છે કે યુદ્ધ પૂરું કોણ કરે છે અને યુદ્ધ પૂરું કરવાની તાકાત કોનામાં છે. આમ તો અમને ખબર છે કે એ તાકાત માત્ર ને માત્ર ભારતીય સેનામાં છે, પણ હવે એક વાર જોઈ જ લઈએ. અમને ભારતીયોને ભ્રમમાં રહેવાની આદત નથી, તો ઇમરાનભાઈ, ભલે થઈ જાય હવે ઇતિહાસનું પુનરાવર્તન. શરૂઆત દરેક વખતે તમારી રહી છે અને અંત અમારા પક્ષેથી આવ્યો છે. આ વખતે આ બન્ને કાર્યની જવાબદારી અમે લઈએ છીએ. લેટ્સ મૂવ.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2019 11:51 AM IST | | મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK