Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હોટેલમાં સભ્યતા હોય તો પછી સોશ્યલ મીડિયાની સભ્યતા શું કામ વીસરવાની?

હોટેલમાં સભ્યતા હોય તો પછી સોશ્યલ મીડિયાની સભ્યતા શું કામ વીસરવાની?

03 May, 2019 09:30 AM IST |
મનોજ નવનીત જોષી

હોટેલમાં સભ્યતા હોય તો પછી સોશ્યલ મીડિયાની સભ્યતા શું કામ વીસરવાની?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હોટેલના શિષ્ટાચારના પોતાના નિયમો છે તો હૉસ્પિટલના શિષ્ટાચારના પણ પોતાના નિયમો છે. જગ્યા હોય કે વ્યવહાર, દરેકના શિષ્ટાચાર અલગ હોવાના અને એ હોવા પણ જોઈએ, કારણ કે જ્યારે પણ શિષ્ટાચાર તૂટે છે ત્યાં સંબંધો અને વ્યવહારોમાં અંતર આવવાનું શરૂ થઈ જતું હોય છે. ઑફિસનો શિષ્ટાચાર અલગ હોય છે, ઘરનો શિષ્ટાચાર જુદો હોય છે. ફોન કરવા માટેનો શિષ્ટાચાર અલગ હોય છે અને રૂબરૂ મળવા જવાનો શિષ્ટાચાર પણ જુદો હોય છે. તમે કોઈના અંગત મિત્ર હો તો શિષ્ટાચારમાં છૂટછાટ લઈ શકો, તમે કોઈના સ્નેહીજન હો અને એની સ્નેહીજનની યાદીમાં પણ તમારા નામનો સમાવેશ થતો હોય તો તમે બોલચાલમાં પણ છૂટ લઈ શકો અને તમે વાતચીતમાં પણ છૂટ લઈ શકો. મળવા જવાના સમયમાં પણ હકથી છૂટછાટ લેવી હોય તો લઈ શકાય અને ફોન કરવાની બાબતમાં પણ છૂટ લેવાનો અવકાશ રહે, પણ એ ત્યારે જ જ્યારે સ્નેહીજનની યાદીમાં તમારો સમાવેશ થતો હોય.



શિષ્ટાચાર. મેનર્સ.


આ શિષ્ટાચાર આપણે અત્યારે પણ પાળીએ જ છીએ, પણ એ પાળવામાં હવે વૉટ્સઍપે અઢળક છૂટછાટ આપી દીધી છે. કહોને, વૉટ્સઍપને કારણે લોકોએ છૂટછાટ લઈ લીધી છે. વૉટ્સઍપ સામે મારો કોઈ વિરોધ નથી અને મને એની સામે કોઈ વાંધો પણ નથી, પરંતુ અતિરેક સામે મારો ચોક્કસ વિરોધ છે. મને લાગે છે કે વૉટ્સઍપની બાબતમાં પણ હવે મેનર્સ પાળવાનું શરૂ થવું જોઈએ. આ પહેલાં પણ કહ્યું છે અને આજે ફરી કહું છું. આનું એક કારણ પણ છે. આજના સમયમાં તમે આ પ્રકારના સોશ્યલ મીડિયાથી દૂર રહી શકવાના નથી અને દૂર રહેવું પણ વાજબી નથી, પરંતુ જો કોઈ એનો અતિરેક કરી રહ્યું હોય અને એના અતિરેકનો શિકાર તમે બનવાના હો તો આ ઉપયોગને મેનર્સ સાથે જોડી દેવો જોઈએ અને એ મેનર્સ વાપરવાનું કે એનો વપરાશ લોકોએ કઈ રીતે કરવો એ પણ શીખવી દેવું જોઈએ.

આ પણ વાંચો : હક લે, મત દે, સર્વદે : એક વોટ માટે એકેક લાખ અભિનંદનને હકદાર છે આ વોટર્સ


મન પડે ત્યારે વૉટ્સઍપની ઘંટડી વાગે એ યોગ્ય છે જ નહીં. તમે સ્ટેટસમાં લખીને રાખ્યું હોય કે કામના અને અગત્યના જ મેસેજ કરવા પણ એ પછી પણ તમારા આત્મીયજન તમને દરરોજ સવારે ગાંઠિયા-જલેબીનો થાળ મોકલી જ દે. ભાઈ, એટલો જ પ્રેમ ઊપજે છે તો મારા વિલે પાર્લેના ઘરે પડીકાં જ મોકલોને. હું ખાઈને રાજી થઈશ. કાં સવારના પહોરમાં ગાંઠિયા અને જલેબી આવે, કાં કૉફીનો એક કપ આવે, કાં વૉટ્સઍપ-કવિ સરસમજાની પંક્તિ લખેલી શાયરી મોકલે અને બીજું કંઈ ન સૂઝે તો સવારના સમયે ફૂલોનો ગુલદસ્તો મોકલી દે. આવું મોકલનારા જેકોઈ મહાશય હોય એને ચોક્કસ જગ્યાએ લાત મારવાનું મન થઈ આવે. મફતમાં મળતી આ સેવાનો દુરુપયોગ કરવા બદલ એ સૌ સામે ખરેખર પોલીસકેસ કરવો જોઈએ, જેથી સાલાઓને સમજ પડે. પોલીસકેસ થાય અને સમજદારી આવે એ પહેલાં સમય આવી ગયો છે કે આપણે મેનર્સના રસ્તે ચાલીએ અને વૉટ્સઍપ-મેનર્સનો અમલ કરીએ.

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2019 09:30 AM IST | | મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK