Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Maan Ki Baat: 2 ઓક્ટોબરથી પ્લાસ્ટિક સામે આંદોલન કરવા PM મોદીની જાહેરાત

Maan Ki Baat: 2 ઓક્ટોબરથી પ્લાસ્ટિક સામે આંદોલન કરવા PM મોદીની જાહેરાત

25 August, 2019 04:16 PM IST |

Maan Ki Baat: 2 ઓક્ટોબરથી પ્લાસ્ટિક સામે આંદોલન કરવા PM મોદીની જાહેરાત

Maan Ki Baat: 2 ઓક્ટોબરથી પ્લાસ્ટિક સામે આંદોલન કરવા PM મોદીની જાહેરાત


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળમાં ત્રીજી વાર મન કી બાત દ્વારા દેશને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસિયોને એકવાર જ વાપરી શકાય એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે. મન કી બાતમાં તેમણે એકવાર વપરાતા પ્લાસ્ટિક સામે 2 ઓક્ટોબરે એક નવા જન-આંદોલન શરૂ કરવાની વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે, આ વર્ષે દેશ રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મજયંતી મનાવી રહ્યો છે. ત્યારે એકવાર ઉપયોગમાં આવનારા પ્લાસ્ટિક સામે નવા જન આંદોલનની શરૂઆત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પર્યાવરણને બચાવવા માટે પ્લાસ્ટિક કચરાના યોગ્ય સંગ્રહ અને નિકાલની જરૂર છે. આ પહેલા 15 ઓગસ્ટે પણ પીએમ મોદીએ એકવાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દેશવાસીઓને અપીલ કરી હતી. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, આજે પૂરતી જાગૃતિ ન હોવાથી કુપોષણથી ગરીબ અને સંપન્ન આમ બન્ને લોકો પીડિત છે. દેશભરમાં સપ્ટેમ્બર મહિનો 'પોષણ અભિયાન' તરીકે ઉજવવામાં આવશે.



આ પણ વાંચો: બહેરિનમાં 42 લાખ ડૉલરના ખર્ચે બનશે શ્રીનાથજી મંદિર, PM મોદીએ કરી શરૂઆત


વડાપ્રધાનએ પોતાના સંબોધનમાં પર્યાવરણની રક્ષા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, હવે એવો સમય આવી ગયો છે જ્યારે આપણે પર્યાવરણ પ્રતિ દયાભાવ રાખવો પડશે. તેમણે સંબોધનમાં 'Man vs Wild'શૉનો ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ દ્વારા દેશની પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કાર વિશે પૂરી દુનિયાને જાણકારી મળશે.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2019 04:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK