Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસના નેતા મણિશંકર ઐયરે સંસદસભ્યોને ગણાવ્યા જાનવર

કૉન્ગ્રેસના નેતા મણિશંકર ઐયરે સંસદસભ્યોને ગણાવ્યા જાનવર

01 December, 2012 08:22 AM IST |

કૉન્ગ્રેસના નેતા મણિશંકર ઐયરે સંસદસભ્યોને ગણાવ્યા જાનવર

કૉન્ગ્રેસના નેતા મણિશંકર ઐયરે સંસદસભ્યોને ગણાવ્યા જાનવર







ગુરુવારે એક ન્યુઝ ચૅનલ સાથે વાત કરતાં ઐયરે વેલમાં ધસી જતા સંસદસભ્યો જાનવરો જેવું વર્તન કરે છે એમ કહ્યું હતું. રાજ્યસભામાં કાલે વિરોધ પક્ષના સભ્યોએ આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. બાદમાં ઐયરે પોતાના નિવેદન બદલ માફી માગવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે મને મારા સ્ટેટમેન્ટ બદલ કોઈ અફસોસ નથી.

રાજ્યસભામાં વિરોધ પક્ષના સભ્યોએ ઐયરના નિવેદનના વિરોધમાં ભારે વિરોધ કર્યો હતો. સમાજવાદી પાર્ટી અને બીજેપીએ આ મુદ્દે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાર રજૂ કર્યો હતો. એ પછી કૉન્ગ્રેસના સંસદસભ્ય રાજીવ શુક્લાએ ઐયરના નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. શુક્લાએ એવી પણ ખાતરી આપી હતી કે તેઓ માફી માગવા માટે ઐયરને વિનંતી પણ કરશે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી 


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2012 08:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK