મલેરિયાના દરદીઓની સંખ્યામાં ૫૦ ટકા ઘટાડો : સુધરાઈ પર કેન્દ્ર સરકાર ખુશ
કેન્દ્રના આરોગ્ય વિભાગે પણ સુધરાઈએ લીધેલાં પગલાંની પ્રશંસા કરી છે તેમ જ આ વિશે વિસ્તૃત નોંધ તૈયાર કરવા પણ જણાવવામાં આવ્યું છે જેથી દેશની અન્ય મહાનગરપાલિકાઓને એમાંથી શીખવા મળે. દર વર્ષે વર્ષાઋતુ દરમ્યાન વધતા જતા મલેરિયાના ઉપદ્રવને નાથવા આ વખતે સુધરાઈએ આગોતરાં પગલાં લીધાં હતાં. ઘરે-ઘરે જઈને લોહીની તપાસ, દવાનો છંટકાવ, જનજાગૃતિ તેમ જ વિવિધ જાગૃતિ-શિબિરોનું આયોજન કર્યું હતું.