Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > લંડનમાં આવતા મહિને બાપુએ લખેલા દુર્લભ પત્રોની થશે હરાજી

લંડનમાં આવતા મહિને બાપુએ લખેલા દુર્લભ પત્રોની થશે હરાજી

19 November, 2012 07:19 AM IST |

લંડનમાં આવતા મહિને બાપુએ લખેલા દુર્લભ પત્રોની થશે હરાજી

લંડનમાં આવતા મહિને બાપુએ લખેલા દુર્લભ પત્રોની થશે હરાજી




રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ લખેલા બે પત્રોની આવતા મહિને લંડનમાં હરાજી થશે. જાણીતા સૉધબીઝ ઑક્શન હાઉસ દ્વારા ૧૨ ડિસેમ્બરે ગાંધીજીના પત્રો સહિતની અનેક દુર્લભ ચીજવસ્તુઓની હરાજી કરવામાં આવશે. ગાંધીજીના જે બે પત્રોની હરાજી થશે એમાં તેમણે રવીન્દ્રનાથ ટાગોરના સૌથી મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથને લખેલો પત્ર પણ સામેલ છે. હરાજીમાં ભારતીય બંધારણની એક અલભ્ય નકલ માટે પણ બોલી લગાવવામાં આવશે.





ગાંધીજીએ ૧૯૨૨માં તેઓ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ હતા ત્યારે દ્વિજેન્દ્રનાથને પત્ર લખ્યો હતો. બે પેજનો આ પત્ર પેન્સિલથી લખાયેલો હતો. આ પત્ર અંદાજે ૭૦૦૦ પાઉન્ડ (આશરે ૬.૧૩ લાખ રૂપિયા)માં વેચાશે એવી શક્યતા છે. ગાંધીજીના જે અન્ય પત્રની હરાજી થવાની છે એ તેમણે એક અજ્ઞાત મિત્રને લખ્યો હતો. આ ઉપરાંત ભારતીય બંધારણની પહેલી આવૃત્તિની નકલ અંદાજે ૫૦૦૦ પાઉન્ડ (આશરે સવાચાર લાખ રૂપિયા)માં વેચાશે એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2012 07:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK