રાષ્ટ્રપિતાને નમન કરવા PM મોદી સાથે પહોંચ્યા કેજરીવાલ,જુઓ વીડિયો
PM મોદી અને અરવિંદ કેજરીવાલ
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજયંતિ છે. સાથે જ દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 116મી જયંતિ છે. આ મોકા પર આખો દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ સવારે રાજઘાટ પહોંચીને બાપુને અંજલિ આપી. સાથે જ વિજયઘાટ જઈને પૂર્વ વડાપ્રધાનને પુષ્પાંજલિ અર્પણ કરી. આ દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વડાપ્રધાન મોદી સાથે વિજયઘાટ પહોંચ્યા હતા.
#WATCH Prime Minister Narendra Modi arrives to pay tribute to former Prime Minister Lal Bahadur Shastri at Vijay Ghat. Delhi Chief Minister Arvind Kejriwal & Deputy CM Manish Sisodia also present. (earlier visuals) #LalBahadurShastriJayanti pic.twitter.com/3J25RBihcw
— ANI (@ANI) October 2, 2019
ADVERTISEMENT
તેમન સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા. બંનેએ લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરી તેમને પુષ્પાંજલિ આપી.
તમામ લોકો પોતા-પોતાની રીતે મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યા છે. એવામાં મહાત્મા ગાંધીને એર ઈન્ડિયાએ અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી. કંપનીએ વિમાનના પાછળ ભાગમાં મહાત્મ ગાંધીની તસવીર બનાવી તેમને યાદ કર્યા.
Air India pays tribute to Mahatma Gandhi by painting his portrait on the tail of an Airbus A320 aircraft at Indira Gandhi International Airport(Delhi) #GandhiJayanti #GandhiAt150 pic.twitter.com/JCEGeL4KPP
— ANI (@ANI) October 2, 2019
વડાપ્રધાન મોદી પહેલા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજઘાટ પહોંચીના મહાત્મા ગાંધીને યાદ કર્યા. ત્યારે તેમની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ હાજર હતા.
Delhi: Congress interim President Sonia Gandhi and Former PM Dr. Manmohan Singh pay tribute to Former Prime Minister Lal Bahadur Shastri at Vijay Ghat. #LalBahadurShastriJayanti pic.twitter.com/yBTB000Q6O
— ANI (@ANI) October 2, 2019
બંને રાજનેતાઓને યાદ કરતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને વીડિયો પણ શેર કર્યો. બાપૂને યાદ કરતા તેમણે લખ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 150મી જન્મજયંતિ પર શત-શત નમન. તેમણે આગળ લખ્યું કે અમે માનવતા માટે તેમના યોગદાન માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છે. સાથે જ તેમણે લખ્યું કે અમે તેમના સપના સાકાર કરવાની અને એક સારો દેશ બનાવવા માટે આકરી મહેનત કરવાની પ્રતિજ્ઞા લઈએ છે.
राष्ट्रपिता महात्मा गांधी को उनकी 150वीं जन्म-जयंती पर शत-शत नमन।
— Narendra Modi (@narendramodi) October 2, 2019
Tributes to beloved Bapu! On #Gandhi150, we express gratitude to Mahatma Gandhi for his everlasting contribution to humanity. We pledge to continue working hard to realise his dreams and create a better planet. pic.twitter.com/4y0HqBO762
લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા તેમણે ટ્વીટ કર્યુ કે, જય જવાન જય કિસાનના ઉદ્ઘોષથી દેશમાં નવી ઊર્જાનો સંચાર કરનાર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જયંતિ પર શત-શત નમન.
‘जय जवान जय किसान’ के उद्घोष से देश में नव-ऊर्जा का संचार करने वाले पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी को उनकी जयंती पर शत-शत नमन। pic.twitter.com/Vr9KddOUf5
— Narendra Modi (@narendramodi) October 2, 2019
ઉપરાષ્ટ્રપતિએ પણ કર્યા યાદ
મહાત્મા ગાંધીને યાદ કરીને દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ અનેક ટ્વીટ કર્યા. તેમણે લખ્યું કે અહિંસા મનુષ્યના હાથમાં રહેલી સૌથી પ્રભાવશાળી શક્તિ છે. આ માનવીની બુદ્ધિએ બનાવેલા સૌથી વિનાશકારી હથિયાર કરતા પણ વધુ શક્તિશાળી છે. ભારતીયના રૂપમાં આ આપણા સૌ માટે ગૌરવની વાત છે કે સંયુક્ત રાષ્ટ્રએ 2 ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના રૂપમાં સ્વીકાર્યો છે.
આ પણ જુઓઃ Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...
તેમણે આગળ લખ્યું કે મહાત્મા ગાંધીએ સાત ગંભીર અપરાધોથી બચવાની સલાહ પણ આપી છે. કામ વગર અર્જિત કરેલી સંપત્તિ, અંતરાત્મા વિના ઉપભોગ, ચરિત્ર વિના મેળવેલું જ્ઞાન, નૈતિકતા વિના વેપાર, માનવતા રહિત વિજ્ઞાન, ત્યાગ વગર ધર્મ અને સિદ્ધાંત વિહીન રાજનીતિ, આ મૂળતઃ આપણી નૈતિકતાની કસોટી છે.