ઔરંગાબાદના ઝૂમાં ‘કરીના’ નામની વાઘણનું મોત
ફાઈલ તસવીર
ઔરંગાબાદના ઝૂમાં એક વાઘણનું મૃત્યુ થઈ ગયું હતું. વાઘણને કિડનીને લગતી બીમારી થઈ હોવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. ઔરંગાબાદ મ્યુનિસિપલ કમિશનર અસ્તિક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે વાઘણનાં સ્વેબ સૅમ્પલ લેવામાં આવ્યાં છે અને સૅમ્પલને કોરોનાની તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
મૃત્યુ પામનાર વાઘણની વય સાડાછ વર્ષની હતી. તેનું નામ કરીના હતું. તેનો જન્મ સિદ્ધાર્થ ઝૂમાં થયો હતો. તેણે જૂન ૨૧થી ખોરાક લેવાનો બંધ કરી દીધો હતો. ત્યાર બાદ એને વેટરિનરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
કરીનાનું મૃત્યુ બુધવારે મળસ્કે ૫.૨૦ વાગ્યે થયું હતું.